SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ પલ્યોપમ જેટલી સ્થિતિ સત્તા ઓછી થાય ત્યારે પ્રાપ્ત થઈ શકે છે. પ્ર. ૧૨૯/૧. આ ગુણસ્થાનક કયા જીવોને હોય છે ? તથા કેટલા સમકત હોય છે ? ઉ. : આ ગુણસ્થાનક મનુષ્ય તથા તિર્યંચોને હોય છે. આ ગુણસ્થાનકમાં મનુષ્યોને (સંખ્યાત વર્ષના આયુષ્યવાળા) ઉપશમ, ક્ષયોપશમ તથા ક્ષાયિક ત્રણેય સમ્યકત્વ હોય છે. જ્યારે સંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચોને ઉપશમ તથા ક્ષયોપશમ એમ બે સમકીત હોય છે. આ જીવોને ક્ષાયિક સમ્યકત્વ હોતું નથી. પ્ર. ૧૨૯/૨. દેશવિરતિ ગુણસ્થાનકનો કાળ કેટલો ? ઉ.: દેશવિરતિ ગુણસ્થાનકનો કાળ જઘન્યથી અંતર્મુહૂત અને ઉત્કૃષ્ટથી દેશોને પૂર્વકોટી વર્ષ હોય છે, મતાંતરે ઉત્કૃષ્ટથી દેશવિરતિનો કાળ એક અંતર્મુહૂતનો કહેલો છે તેનો પાઠ આ પ્રમાણે છે. - કર્મગ્રંથ-૪ ટીકા પાનું નં. ૯૬ અ ટીકામાં ગાથા ૧૨. તિત્તીસયર ચઉલ્થ પુવ્વાણું કોડિ ઉણ તેરસમ | લહુપંચકૂખર ચરિમ અંતમુહૂ સેસ ગુણઠાણા | ૧૨ ||. પ્ર. ૧૩૦/૧. પ્રમત્ત સર્વવિરતિ ગુણસ્થાનક કોને કહેવાય ? ઉ. : આ ગુણસ્થાનકમાં સઘળાં પાપ વ્યાપારનો મન-વચન અને કાયાથી કરવા-કરાવવા તથા અનુમોદવા રૂપે સર્વથા ત્યાગ હોય છે. એટલે કે બારેય પ્રકારની અવિરતિમાંથી એકેય અવિરતિનો અત્રે ઉદય હોતો નથી. સર્વથા ત્યાગ હોય છે. છતાં પણ કોઈ કોઈ વાર સંજ્વલન કષાયના ઉદયથી જીવોને પ્રમાદનું સેવન થઈ જાય છે. તે કારણથી પ્રમત્ત સર્વવિરતિ કહેવાય છે. પ્ર. ૧૩૦/૨. સર્વવિરતી કયા જીવો પ્રાપ્ત કરી શકે ? ઉ. : સર્વવિરતિ ગુણસ્થાનક અવિરતિ સમ્યક્ દ્રષ્ટિ જીવો પ્રાપ્ત કરી શકે છે તથા દેશવિરતિવાળા જીવો પણ પ્રાપ્ત કરી શકે છે. પ્ર. ૧૩૧. પ્રમત્ત સર્વવિરતિ ગુણસ્થાનકનો પરિણામ ક્યારે પ્રાપ્ત થાય ? ઉ. : પ્રમત્ત સર્વવિરતિ ગુણસ્થાનકનો પરિણામ દેશવિરતિ ગુણસ્થાનકનો પરિણામ પેદા કરવા માટે જે સાતે કર્મોની સ્થિતિ સત્તા હોય છે તેનાથી સંખ્યાતા સાગરોપમ જેટલી સ્થિતિ સત્તા ઓછી થાય ત્યારે જીવો સર્વવિરતિ પરિણામ પ્રાપ્ત કરી શકે છે. પ્ર. ૧૩૨. અપ્રમત્ત ગુણસ્થાનક કોને કહેવાય ? ઉ.: સર્વવિરતિ ચારિત્ર પામેલા હોય પણ જે જીવોનાં જીવનમાં નિંદ્રા વિકથા વગેરે પાંચ પ્રકારના પ્રમાદમાંથી એક પણ પ્રમાદનું સેવન ન હોય તથા જે અભ્યાસ ૧૦૪ Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005270
Book TitleKarmgranth 01 and 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy