SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૧૧૭. ક્ષાયિક સમ્યક્ત્વની પ્રાપ્તિ કેવી રીતે થાય ? ઉ. : કાર્મગ્રંથીક મતે અને સિદ્ધાંતિક મતે જીવો ક્ષયોપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યા પછી વિશુદ્ધ અધ્યવસાયમાં વધતાં વધતાં સૌ પ્રથમ અનંતાનુબંધી ક્રોધ-માનમાયા- તથા લોભ રૂપ ચાર કષાયોને ખપાવવાની તૈયારી કરી તેનો ક્ષય કરે ત્યારબાદ વિશુદ્ધ પરિણામે મિથ્યાત્વ મોહનીયનો ક્ષય કરે અને પછી મિશ્ર મોહનીયનો ક્ષય કરે છે ત્યાર પછી સમ્યક્ત્વ મોહનીયનો ક્ષય કરે ત્યારે તે જીવો ક્ષયિક સમ્યક્ત્વ પામે છે. પ્ર. ૧૧૮. ક્ષાયિક સમકીત કયા જીવો પ્રાપ્ત કરી શકે ? ઉ. : ક્ષાયિક સમકીત મનુષ્ય પ્રાપ્ત કરી શકે છે. તેમાં પણ આઠ વર્ષની ઉંમર અને એથી અધિક ઉંમરવાળો, પ્રથમ સંઘયણ-(વ્રજઋષનારાચ સંઘયણ)વાળો કેવલજ્ઞાની વિદ્યમાન હોય તેવા કાળને વિષે રહેલો હોય અને પુરૂષાર્થ કરે તેમાં પણ નરકનું આયુષ્ય, દેવ આયુષ્ય બાંધેલું તથા તિર્યંચ-મનુષ્યમાં અસંખ્યાત વર્ષનું પરભવનું આયુષ્ય બાંધ્યું હોય અથવા અબંધક જીવો ક્ષયિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરી શકે. સંખ્યાત વરસનું મનુષ્ય કે તિર્યંચાયુષ્ય પરભવનું બાંધેલ હોય તો ન પામી શકે. ન પ્ર ૧૧૯. ક્ષાયિક સમકીત પામ્યા પછી સંસારમાં કેટલા ભવો કરે ? ઉ. : ક્ષાયિક સમકીત પામ્યા પછી વધારેમાં વધારે ત્રણ ભવ અથવા ચાર ભવો કરે છે તેમાં જો નરક કે દેવાયુષ્ય બાંધેલું હોય અને ક્ષાયિક સમકીત પામે તો ત્રીજે ભવે મોક્ષમાં જાય અને જો અસંખ્યાત વર્ષનું તિર્યંચ-મનુષ્યનું આયુષ્ય બાંધેલ હોય તો તેમાં જઈ-દેવમાં થઈ મનુષ્યમાં આવી મોક્ષે જાય માટે ચાર ભવ થાય છે અને મતાંતરે કૃષ્ણજી તથા શ્રી દુપ્પહસૂરિ વગેરે ક્ષાયિક સમકીતી જીવોને પાંચ ભવ પણ કહેલા છે. પ્ર. ૧૨૦. દેશવિરતિ ગુણસ્થાનક કોને કહેવાય ? ઉ. : સર્વવિવતિની તીવ્ર લાલસા છતાં પ્રત્યાખ્યાનીય કષાયના ઉદયથી સર્વવિરતિના પરિણામ ન થાય. પરંતુ અપ્રત્યાખ્યાનીય કષાયના ક્ષયોપશમથી દેશથીસ્થુલ સાવદ્ય વ્યાપાર રૂપ અવિરતિના ત્યાગ સ્વરૂપ વિરતિના પરિણામ જેમાં પ્રગટે છે તેને દેશવિરતિ ગુણસ્થાનક કહેવાય છે. પ્ર. ૧૨૧. શ્રાવક શબ્દનો નિર્યુક્તિ અર્થ શું છે ? ઉ. : ધર્મસંગ્રહમાં શ્રાવક શબ્દનો નિર્યુક્તિ અર્થ નીચે મુજબ જણાવેલ છે. જે આજે પણ પદાર્થોના ચિંતવનથી શ્રદ્ઘાળુપણાને દ્રઢ કરે છે, હંમેશા સુપાત્રમાં ધનને વાવે છે અને સુસાધુઓની સેવાથી પાપને વિખેરે છે, તેને શ્રાવક કહેવાય છે. પ્ર. ૧૨૨. ભાવશ્રાવકના મુખ્ય લક્ષણો કેટલા ? કયા કયા ? ઉ. : છ. (૧) કૃત.વ્રતકર્મા (વ્રતધારી)(૨)શીલવંત (સદાચારી)(૩) ગુણવંત (ગુણી) (૪) ઋજુ વ્યવહારી (કપટરહિત) (૫) ગુરુશુશ્રૂષક(ગુરુસેવાકારી) Jain Education International ૧૦૨ For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005270
Book TitleKarmgranth 01 and 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy