SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ માને છે કે ભાષા દ્રવ્ય લેકાને સ્પર્શ પછી કર્ણપૂરમાં પ્રવેશે છે તે વાત સિદ્ધાંત સમંત નથી. સિદ્ધાંતાનુસાર અર્ધમાગધી ભાષાનું મહત્ત્વ દર્શાવતા જણાવે છે કેછે કિંત માયા મારા ને અમારા માસંતિ ” અર્ધમાગધી બેલે તે ભાષાર્ય છે. સર્વ જૈનાગમ સંસ્કૃત-પ્રાકૃતમાં નથી પરંતુ અર્ધમાગધીમાંજ છે આ બાબત ચતુર્થ ભાગમાં સિદ્ધ કરેલ છે. પાંચમ ભાગમાં કપનું વર્ણન છે જિનકલ્પી-પડિમાધારી સાધુ વિશિષ્ટ સાધના માટે એકલા વિહરે છે તેનું વર્ણન કરતાં વર્તમાનમાં ઘણા સાધુસાધ્વીઓ અકેલવિહારી બને છે તેની અગ્યતા દર્શાવી છે. આઠ ગુણના ધણીને એકલવિહાર પ્રશસ્ત છે જ્યારે આઠ અવગુણના ધણીને એકલવિહાર અપ્રશસ્ત છે. ગુરુકુલવાસને તજનારના વ્રતમાં દોષ લાગે છે. જેવી રીતે પક્ષીનું બચ્ચ જે પિતાના માળાને છેડી બહાર નીકળી જાય તે અન્ય પક્ષીઓ દ્વારા પકડાયા જાય છે તેમ વય અને જ્ઞાનથી અવ્યકત એવા સાધક જે ગુરુકુલ વાસને ત્યજી દે તે અન્યદર્શનીઓ દ્વારા તેનું હરણ કરાય છે અને અધ્યાત્મજીવન નષ્ટ થઈ જાય છે શિથિલાચારી માં પાસસ્થા, યથાદ, ઉત્સન્ના, કુશીલ તથા સંસતાનું સ્વરુપ વર્ણન કરેલ છે. જ્ઞાનની ૧૬ કળાનું વિવરણ ભા. ૬ માં છે. આઠ આત્માનું વર્ણન કરતાં ઉપગ, જ્ઞાન, દર્શન, સુખ, દુઃખ, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપગ આ જીવના ૧૧ લક્ષણેની વિસ્તૃત ચર્ચા કરેલ છે. ભાગ સાતમાં સમ્યક્ત્વ પ્રાપ્તિને કમ જણાવતાં કહ્યુ છે કે જીવ યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃતિકરણ કરી પ્રથમ સમ્યકત્વને લાભ મેળવે છે તે સમ્યક્ત્વ ૧૫ પ્રકારનું છે. તત્વચિ સમ્યકત્વ, ભાવ સમ્યકત્વ, નિશ્ચય સમ્યકત્વ, વ્યવહાર સમ્યક્ત્વ, નિસર્ગ સ., ઉપદેશ એ, કારક સ., રેચક સ, દીપક સ., ક્ષપશમ સ, ઉપશમ સ, ક્ષાયિક સ., સાસ્વાદાન એ વેદક સ, આ પંદરે સમ્યકત્વનાં સ્વરુપનું દિગ્દર્શન કરાવેલ છે. ૩૬૩ પાખંડી મતની ચર્ચા આઠમાં ભાગમાં છે. કાળજ કર્તા છે. યેગ્ય કાળેજ ફળ પાકે છે, ઠંડી ગરમી પડે છે. યોગ્ય કાળેજ તીર્થકર થાય છે. આ માન્યતા એકાંતકાળવાદીની છે. સર્વ કાર્ય સ્વભાવથીજ થાય છે પક્ષી સ્વભા વથીજ ઉડે છે, માછલી સ્વભાવથીજ તરે છે. સર્વકાર્ય સ્વભાવથી જ થાય છે. તેમ રવભાવવાદી માને છે. નિયતિ વાદીને મતે થવાનું હોય તેજ થાય છે. દ્વારકામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005266
Book TitlePrashnottar Mohanmala Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy