SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ મિત્રાદિક દષ્ટિ પામવાને અવસર હોય, એને માર્ગાનુસારી કહીએ. અહિં ષટ દર્શનની ભિન્નતા જાણે, જિનેક્ત માર્ગે વ્યવહારે પ્રવર્તે, અહિંથી મિથ્યાત્વ મંદ પડ્યું, તેથી વ્યવહાર દ્રવ્ય ધર્મ પણ પામે, પણ સમ્યકત્વ પ્રાપ્તિ ન થાય, અહિં પહેલા ત્રણ અનુષ્ઠાનની પ્રબળતા હોય, સર્વ ક્રિયા કરે તે દેખી બીજા અનેક જીવ ધર્મ પામે, પણ પિતાને ન હોય, તે ક્રિયાનું ફળ સ્વર્ગાદિક થાય, પણ નિર્જરા અર્થે ન થાય. પ્રશ્ન ૭૬ મું–જે જીવને એક પુગલ પરાવર્તનકાલ સંસાર રહ્યો, ત્યારે તે જીવ માર્ગાનુસારી થયે તે જીવને સમક્તિની પ્રાપ્તિ કયારે થાય? ઉત્તર–સમ્યકત્વ સ્વરૂ–પને પ૮૫મે કહ્યું છે કે – ઇહાં ચરમ પુદ્ગલ પરાવર્તામાં મિથ્યાત્વની મંદતા થાય ત્યારે સમ્યકત્વ પામવાના કારણ ત્રણ કરણ છે, તેનાં નામ એક યથા પ્રવૃત્તિ કરણ ૧, બીજો અપૂર્વ કરણ ૨, ત્રીજો અનિવૃત્તિ કરણ ૩, તેમાં ઈહાં પ્રથમ કરણને અવસર છે તે કહે છે. એ સમ્યકત્વ ગુણ પામતાં સુધીમાં સર્વ સાધારણ આઠ દાંત કહ્યાં છે તેમાં યથા પ્રવૃત્તિ કરણ કરતાં બે દષ્ટાંત લાગે. પ્રશ્ન ૭૭ મું–તે આઠ દઇત કેવી રીતે કહ્યાં છે તે જણાવશે ? ઉત્તર–તે દષ્ટાંતની આવશ્યક્ત ગાથા તે ગ્રંથમાં નીચે પ્રમાણે કમી છે.-ગાથા पल्लय गिरी सरिउवला, पिवीलिआ पुरिसपहजरगहीआ; कोदव जलय छाणिअ, सामा इयलाभ दिठंता. १ એ ગાથાને અર્થ કહે છે. એક પાલાનું છાંત, બીજું પર્વતથી નહી પ્રયાત સ્થાને રહેલા પાષાણનું દષ્ટાંત, ત્રીજું પીપીલિકા તે કીડીનું દષ્ટાંત. ચોથું ત્રણ પંથી પુરૂષનું દષ્ટાંત, પાંચમું વર ગ્રહિતનું દૃષ્ટાંત, છઠ્ઠ મદન કેદ્રવનું દષ્ટાંત, સાતમું મલિન જલ દષ્ટાંત, આઠમું સમલ વસ દષ્ટાંત. એ આઠ દષ્ટાંત સર્વે સમ્યકત્વને લાભ થતાં સુધીમાં લાગે. પ્રશ્ન ૭૮ મું—યથા પ્રવૃત્તિ કરણ કેવી રીતે હોય?ને તેને અર્થ શો ? ઉત્તર–અહિં સમ્યકત્વ પામતાં કરણ ત્રણ છે, તેમાં પહેલું યથા પ્રવૃત્તિ કરણ તે “ગતિ જોતર” કથા પ્રવૃત્તિ, એ વ્યુત્પત્તિને અર્થ - થા કેતાં જેમ અનાદિની ચાલ છે તેમની તેમ પ્રવૃત્તિનું કારણ કેતાં જીવ પરિણામનું પ્રવર્તન છે, જ્યાં તેને યથા પ્રવૃત્તિ કરણ કહી, એટલે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005266
Book TitlePrashnottar Mohanmala Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy