SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૭ કયાંથી આવતું નથી; એ તે આત્માની ત્રાદ્ધિ છે તે પણ ભવ્ય જીવને જ સત્તામાં રહી છે, તે જ્યારે આત્મ બળ ફેરવશે ત્યારે કર્મના આવરણ તૂટયે સત્તામાં રહેલી વસ્તુ કેવળ જ્ઞાન પ્રગટ થશે માટે સત્તામાં કેવળ જ્ઞાન ભવ્ય જીવ-મેક્ષ પ્રાપ્ત થવા યોગ્યના આત્મપ્રદેશે પર્યાય રૂપે રહેલ છે. અભવ્યને વંધ્યા સ્ત્રીનું અને ભવ્યને ગર્ભ ધારણ કરવાવાળી સ્ત્રીનું દષ્ટાંત આપ્યું તે સામાન્ય રીતે ઠીક છે, પણ અભવ્યને વંધ્યા સ્ત્રીનું દષ્ટાંત લાગુ થાય નહિ. વંધ્યા સ્ત્રીનું દષ્ટાંત તે સંસારસ્થ ભવ્ય જીવનેજ લાગુ થાય. વળી વધ્યા રૂપે ગણાતી સ્ત્રીને પણ કોઈ વખતે દવાદિકના પ્રાગે ઘણું કાળે પણ ગર્ભ ધારણ કરે છે, માટે અભવીને વંધ્યા સ્ત્રીને દાખલે લાગુ થવા સંભવ નથી. આ વિષેની વધારે હકીકત જાણવાને માટે જુઓ-આ પહેલાના ભાગનું લખાણ. પ્રશ્ન પ૩ મું–શિષ્ય-ત્રીજો પક્ષ કહે છે કે ભવ્ય જીવ સુસાધુને વેગ મળ્યાથી કેવળજ્ઞાન પામે, પણ સત્તાએ કહે છે તે સૂત્ર વિરૂદ્ધ ભવ્ય જીવ કેવળ પામવાને વેગ્યતા કહીએ ઈતિ સિદ્ધ-આના ઉપર અનુગ દ્વારની વૃત્તિને દાખલ આપે છે કે-શ્રી અનુગદ્વારે, उप्पण नाण दंसणेत्यादि उत्पन्ने श्यामता पगमे नाडादर्श मंडल प्रभाव सकल तदावरण पगमादभि वनिज्ञान दर्शन धरतियः स । એ અનુગદ્વારની વૃત્તિ મળે કહ્યું છે. કેવળ ઉપર્યું તેની પરે? આદર્શ મંડળની પરે. જેમ લેઢાને આરસે ઘડીને સરાણે ચડાવે ત્યારે તેજ નીસરે જેમ એ આ તેજને ગ્ય લેડું તે, ભવ્ય જીવ તે લેઢાને આરસે ઘડે ત્યારે તેજ પ્રગટે તેમ ભવ્ય જીવ સમક્તિ, વ્રત પચ્ચખાણ તથા તપ તપે કર્મ ક્ષય કરે તે કેવળ જ્ઞાન ઉપજે, પણ કુંભારના ટપલાને સરાણે ચડાવે તે તેજ ન નીસરે તેમ અભવ્ય જીવને કેવળ ન ઉપજે. એ ભવ્ય જીવ કેવળને યેગ્યતા કહો. જે લેતાને આરસે ન થયા, સરાણે ન ચઢયે તે માંહેથી તેજ ન નીસરે એ આરસો વિના મોટું ન દીસે. કેઈ કહેશે જે લેઢામાં તેજની સત્તા હતી તે અસત્ય. જે ભણી તે લેઢાના કટકા કરીએ તે તેજ ન દિસે, એ તેજને યોગ્યતા છે, પણ સત્તા એ તેજ નથી. શ્રી સૂત્ર મધ્યે ભવ્ય જીવ અભવ્ય જીવ કહ્યા છે. શ્રી સિદ્ધાંત સર્વ જીવ પાસે કેવળ જ્ઞાન સત્તાએ કહ્યું નથી. તે આપણે ક્યાંથી કહીએ. ભવ્ય ૩૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005266
Book TitlePrashnottar Mohanmala Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy