SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ ર૫ પ્રશ્નોકર અને મારી બુદ્ધિ પ્રમાણે શાસ્ત્રોકત તને ખુલાસો કરી આપું તે ધ્યાનમાં લઈ ભવ્ય જીને સમજાવ એટલે બસ. પ્રશ્ન ૫૧ મું-શિષ્ય-ત્રીજે પુરૂષ કહે છે કે જે કોઈ સર્વ જીવ પાસે સત્તામાં કેવળ જ્ઞાન માનતું હોય તે અભવ્યને પણ કેવળ જ્ઞાન સત્તાએ હેય. એમ માનવાવાળાને અભવ્યને અર્થ જણાવે છે કે–અભવ્ય એટલે કેવળ જ્ઞાનને અગ્ય જે ભણી અભવ્ય જીવને પૂર્વે કેવળ ઉપર્યું નથી, હમણા ઉપજતું નથી. આગામી કાલે પણ ઉપજશે નહિ તે સત્તાએ કેવળજ્ઞાન કહે તે અસત્ય. ભવ્ય જીવ કેવળ જ્ઞાન પામવાને ગ્ય છે. ભવ્ય જીવ પૂર્વે કેવળ જ્ઞાન પામ્યા, હમણ પામે છે. ને આગળ પણ ભવ્ય જીવ કેવળ પામશે. તેનું કેમ? ઉત્તર–આ વાતમાં વધે નથી. અભવીને માટે તે વાત ઠીક છે, કે તેને સત્તામાં કેવળ જ્ઞાન નથી એટલે ત્રણે કાળમાં કોઈ પણ અભાવીને કેવળ થાય જ નહિ. પરંતુ જે ભવ્ય જીવ કેવળ જ્ઞાન પામવાને વ્ય છે તે ત્રણ કાળમાં ગમે ત્યારે કેવળ જ્ઞાન પામે, ત્યારે તે કેવળ જ્ઞાન કયાંથી આવ્યું? તે વિચાર કરે જોઈએ. જ્યારે ત્રીજો પક્ષ કહે છે કે-ઈ જીવ પાસે સત્તામાં કેવળ જ્ઞાન નથી અને અનાદિનું સર્વ જીવ પાસે સત્તામા મિથ્યાત્વ છે. અજ્ઞાન છે. તે કેવળ જ્ઞાન ઉન્ન થયું કયાંથી? શું આત્માથી કેવળ જ્ઞાન જુદું છે ? અને જો જુદું હોય તે પછી સૂત્રકારને જીવ દ્રવ્ય પાસે અનંતા જ્ઞાન દર્શન ચારિત્રાદિકના પર્ય કહેવાની શી જરૂર ? માટે જેમ સર્વ જીવ પાસે મૂળ સત્તાએ અજ્ઞાન અને મિથ્યાત્વ રહેલ છે તેમ મોક્ષ પ્રાપ્ત ભવ્ય જીવની પાસે મૂળ સત્તામાં કમેં અવરાયેલ સમિતિ અને જ્ઞાન-કેવળ જ્ઞાન પણ સત્તામાં રહેલ છે, જે વસ્તુ સત્તામાં હોય તે વસ્તુ પ્રગટ થાય પણ ત્રીજા પુરૂષના કહ્યા પ્રમાણે સત્તામાં કેવળ જ્ઞાન નથી તે સમકિત પણ નથી, તે સમતિ ક્યાંથી આવ્યું કે જેને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. માટે જે જીવને સત્તામાં સમકિત છે તેપ સત્તામાં કેવળ પણ છે. માટે જે જીવને સમકિતનું આવરણ મિથ્યાત્વ અને કેવળનું આવરણ અજ્ઞાન છે એટલે ઘાતી કર્મ છે તે ખસવાથી-દુર થવાથી તે વધુ પ્રકાશમાં આવે છે. માટે માને કે મોક્ષ પ્રાપ્ત ભય જીવને સત્તામાં સમિતિ અને કેવળ જ્ઞાન અને રહ્યાં છે. વિશેષ ખુલાસાને માટે વાંચો આ સંબંધીને પ્રથમને અધિકાર પ્રશ્ન પર મુ–સર્વ ભવ્ય જીવ કેવળ પામશે તેના ઉત્તરમાં ત્રીજો પક્ષ લખે છે કે-સર્વ ભવ્ય જીવ કેવળ નહિ પામે, જે ભાણ ભય જીવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005266
Book TitlePrashnottar Mohanmala Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy