SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૩ પ્રશ્ન ૧૦ મું–કદાપિ કેઈ એમ કહે કે-છ પ્રકારે જ્ઞાનાવરણીય કર્મ બાંધે તે પાંચ પ્રકારે ભેગવે. તેમાં અભિવીને પાંચ માંહેલું એકે જ્ઞાન નથી તે તેના આવરણનું કામ કેવી રીતે ભેગવે? ઉત્તર–તેના ઉત્તરમાં કોઈ એમ કહે કે-જ્ઞાનાવરણીય કર્મ જે છે પ્રકારે બાંધેલું હોય તે તેજ પ્રકારે તેજ પ્રમાણે ભેગવે એ નિયમ નથી. એટલે અભવીને કેવળ જ્ઞાન સત્તામાં નથી અને તેને કેવળ જ્ઞાનાવરણીય કર્મ બાંધ્યું તેથી એમ ન કહી શકાય કે કેવળ જ્ઞાન નથી માટે કેવળ જ્ઞાનાવરણીય કર્મ ન હોય એ નિયમ નથી. કર્મ તે ગમે તેવા પ્રકારે બાંધે ને ગમે તેવા પ્રકારે ભગવે. શ્રી ભગવતીજી સૂત્રમાં કહ્યું છે કે–જીવ જે પ્રકારે કર્મ બાંધે તે પ્રકારે ભગવે અને અને પ્રકારે પણ ભગવે. સૂત્રમાં જ્ઞાનીને અવર્ણવાદાદિ બોલવે જ્ઞાનાવરણીય કર્મ બાંધે અને જોગવવા આશ્રી પાંચ તથા દશ પ્રકાર કહ્યા. અહિંયાં જ્ઞાનીના અવર્ણવાદ બાલવાદિ છે કારણ તે ગુન્હ કર્યો કહેવાય. તે દંડરૂપ જ્ઞાનાવરણીયાદિક કર્મ વિપાક ઉદયમાં ભેગવે ત્યારે તે કર્મથી છૂટ્યો ગણાય. અહિંયાં કેઇએ કેવળીની આશાતના કરી કેવળજ્ઞાનાવરણીય કર્મ ઉપામ્યું તેથી તે કેવળજ્ઞાનને જ આવરણ કરીને ભગવે અને બીજી રીતે ન ભેગવે એ નિયમ નહિ, પણ જ્ઞાનના આવરણ તરીકે ગમે તે પ્રકારે ભોગવે. જેમ વેદનીય કર્મની ઉપરજણવાળા વેદનીય કર્મ ભેગવીને છૂટે અને જપ તપાદિક કષ્ટ સહન કરવે પણ છૂટે. એમ કર્મબંધનાં કારણ, કર્મને બંધ અને કર્મનું ભેગવવું તેના અનેક છેદ છે. જેમ ગુન્હો, ગુન્હાને કરનાર, અને શિક્ષાના અનેક ભેદ છે, તેમ કર્મ સંબંધી પણ જાણવું. પ્રશ્ન ૧૧ મું—આ સંબંધે કે ઈ ન્યાયથી સમજાવશે ? ઉત્તર—સાંભળે-બે માણસે એક જાતને ગુન્હો કર્યો, બન્નેને સરખી શિક્ષા કરી, દશ દશ હજાર રૂપિયા દંડ કર્યો. એક માણસ ઋદ્ધિ પાત્ર હોવાથી દંડ ભરીને છૂટયે, બીજા માણસની પાસે તે ત્રાદ્ધિ નથી. ( શિક્ષા કરનારને એમ ન હોય કે તેના ઘરમાં દ્ધિ હોય તે જ તે પ્રકારને દંડ કરે તેણે તે ગુન્હ પ્રમાણેજ દંડ કર્યો પણ દંડ ભરવાની સત્તા નથી તે કાયદા મુજબ જેલ ભેગવવી પડે. એટલે અનેરી રીતે પણ શિક્ષા ભેગવાય છે. ૩૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005266
Book TitlePrashnottar Mohanmala Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy