SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૧ ઉત્તર–એવી ક્રિયા તે જૈન વર્ગમાં સંસારી જીવે ઘણાએ કરે છે તેને શું મિથ્યાત્વી માની લઈશું ? પિતાપિતાના અભિપ્રાય પ્રમાણે ક્રિયા કરે તેમાં દષ્ટિને સંબંધ નથી. દષ્ટિ તે અંતર ભાવની છે. બાળ તપસ્વી કહેવાનું કારણ અંતરની શ્રદ્ધા ઉપર છે. તેની અંતર્ગત શ્રદ્ધા એવી છે કે–તમામ આત્મા શિવ સ્વરૂપી છે, તમામને આત્મા સરખે છે, બધા ઈશ્વર રૂપ છે, બધામાં ઈશ્વરની સત્તા છે. અર્થાત્ સત્તાએ તમામ આત્મા સરખા છે, તેમાં કોઈ ભેદ ભાવ છેજ નહિ. એવી દૃષ્ટિથી તે તમામને પ્રણામ કરતે, ધરતીએ ચાલતા શ્વાન પ્રમુખને અને આકાશમાં ઉડતા કાગડા પ્રમુખને અથવા મનુષ્યાદિક જે સન્મુખ મળે–તેને અર્થાત્ ઉંચા નીચા કે ધરતી પર જે દષ્ટીએ પડે તેને નમસ્કાર કરે અને એમ માને કે મારે ને તમારે તમામને આત્મા સરખે છે. આ દષ્ટિને લઈને તેને બાળ તપસ્વી કહ્યો હોય એમ જણાય છે. - જે મહાવીરની શ્રદ્ધા એ પ્રકારની હોય તે તેમના અનુયાયીઓ કેમ તમામને નમસ્કાર કરતા નથી? અરે ! કેટલાક સાધુ આર્યા કે શ્રાવક પિતાની માન્યતાથી વિરૂદ્ધ હોય તે પગે પણ લાગતા નથી, ઉલટા વિમુખ વદન કરી ચાલ્યા જાય છે તે તેણે શું આત્મા સરખે નથી માને ? મહાવીરે તે જ્ઞાન કેમ આપ્યું નથી કે સર્વને આત્મા સરખે છે; માટે કેઈથી અક્કડાઈ રાખવી નહિ. જૈન હો કે અન્ય હો, મનુષ્ય છે કે દેવ હ, પશુ હે કે પક્ષી હો, નર્કના જીવ છે કે સ્વર્ગના જીવ હો, ત્યાગી હો કે ભેગી હે, સિદ્ધ છે કે સંસારી હો, ભવ્ય છે કે અભવ્ય હે, તમામના જીવ સિદ્ધ સ્વરૂપી છે માટે તમામ નમસ્કાર કરવા ગ્ય છે. એમ કઈ સૂત્રમાં જોવામાં આવતું નથી, માટે તામલી તાપસની માન્યતા અજ્ઞાનપણાની સૂત્ર દ્વારા જણાવી છે. પ્રશ્ન ૪૭ મું - જૈન ધર્મમાં ઉપર કહેલી માન્યતાવાળા જોવામાં આવે છે તેને શું જેન ધર્મને શાસ્ત્રનું જ્ઞાન નહિ હોય ? ઉત્તર–જો જૈન ધર્મના શાસ્ત્રનું પૂરતું જ્ઞાન હોય તે તે આત્માના સ્વરૂપને સમજી શકે પણ અન્ય મતનાં શાસ્ત્રો યા ગ્રંથો કે લેકરૂદીની ભાષા ઉપર વધારે આધાર હોય તેવાઓને આત્મા ભ્રમિત બની ઉલટા સૂત્રથી વિરૂદ્ધ બનતા જોઈએ છીએ. કદાપિ કે જૈન શાસ્ત્રને શ્રદ્ધાળુ હોય પણ કેટલીક બાબતના અણપણાને લઈને લેકરૂઢીની ભાષા પ્રમાણે પિતાના વિચારને મજબુત કરી હું કહું છું તેજ ખરૂં છે એવી પકડ પણ થાય છે કે જેથી સૂકત ખરી બાબતને પ્રકાશ થઈ શકતું નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005266
Book TitlePrashnottar Mohanmala Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy