SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૭ ઉત્તર–સાધુને માટે તે દશ વૈકાલિક સૂત્રના ૭ મા અધ્યયનમાં ગાથા મંડાતાંજ કહ્યું છે કે चउएहं खलु भासाणं, परिसखाय पनवं ; दोएहं तु विणयं सिक्खे, दोन भासेज्ज सव्वसो ॥१॥ અહિંયા તે એમ કહ્યું કે-ચાર ભાષાનું સ્વરૂપ જાણુને પ્રજ્ઞાવાન સાધુ તે સત્ય અને વ્યવહાર એ બે ભાષા બેલવાને વિનય શીખે. અને મૃષાને મિશ્ર એ બે ભાષા તે સર્વથા બેલે નહિ. તેમાં પણ સત્ય ભાષા કેવી બોલે તે વિષે એજ અધ્યયનમાં તથા સૂયગડાંગસૂત્રના છઠ્ઠા અધ્યયનમાં કહ્યું છે કે જો સાગ વઘંતિ એટલે સત્ય ભાષા પણ નિર્વઘ ભાષા બોલવી. તે અન્ય મતનાં શાસ્ત્રો તથા જૈન ધર્મના શાસો ટકા ગ્રંથ વગેરે સંસકૃત ભાષાનાં રચેલાં તેમાં જીવ હિંસાને બંધ હોય તેવાં શાસ્ત્રો અને તેવાં શાસ્ત્રોના રચનારા, તથા તેવાં શાસ્ત્રોના પ્રરૂપક, વિભક્તિ આદિ જ્ઞાનેથી ઉચ્ચારના કરવાવાળાને સત્ય ભાષી કેમ કહેવાય ? અર્થાત્ નજ કહેવાય. પ્રશ્ન ૨૮ મું–અહિંયાં કઈ કહે કે-વ્યાકરણ ભણ્યા વિના પંડિત કેમ કહેવાય ? માટે વ્યાકરણ ભણી પંડિત બનવું તે સાધુનું કામ છે ? ઉત્તર– વાહજી, વાહ, ભલે વ્યાકરણ ભણુ પંડિત બને. બસ, પંડિતપણું તે હવે વ્યાકરણમાંજ આવી સમાણું છે કે શુ ? હા ખરી વાત છે. પેલા સુધારેલાને પણ એજ મત છે અને તેને પણ એજ અવાજ છે, સુધરેલા પણ એજ પ્રમાણે કહે છે કે સાધુઓ ! હવે અંગ્રેજી ભણેતમારાં શાસ્ત્ર હવે અંગ્રેજીમાં છપાવા માંડ્યા છે, હવે તમારી પાસે અમારે બોધ લેવાની જરૂર નથી, એમ પણ કહેવા લાગ્યા છે, અને તે ખામી પૂરી પાડવાને કેટલાક સાધુઓ સાવધ થયાં છે તે પછી વ્યાકરણનું તે કહેવું જ શું ? હમણા માતૃ જ્ઞાન-સૂત્ર અભ્યાસની જરૂર ઘણી ડી જણાય છે. હમણું તે પંડિત બનવાને અને દુનિયામાં વાહ વાહ કહેવરાવવાને (જાહેર ભાષણ આપવાને) તેવાજ પ્રકારનું જ્ઞાન મેળવવાની આશ્યકતા વિશેષ જોવામાં આવે છે. આ ઉપરથી એવો નિર્ણય થાય છે કે–ડા વખતમાં સૂત્ર જ્ઞાન લેપ થવાની એ નિશાની છે. જન શાસ્ત્રમાં આર્ય ભાષા જે સૂત્રની ભાષા ભણવાની આજ્ઞા છે, અને અન્ય શાસ્ત્રમાં તે ત્યાં સુધી કહ્યું છે કે-- Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005266
Book TitlePrashnottar Mohanmala Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy