SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા–ભાગ ૮ મો. કીર્તિને માટે દુનિયામાં પૂજવા માટે યા જાહેરાતમાં આવવાને માટે કલહકલેશાદિ કરવા માટે માયિ (કપટ) ભારથી તપસ્યા કરનારનું તે કહેવું જ શું? અર્થાત્ આત્મકલ્યાણની તે આશાજ શી? મનમાં કપટ રાખી તપસ્થાના કરનારને ભગવંતે અનંત જન્મ મરણ કહ્યાં છે. પ્રશ્ન ૩૧ માયા (કપટ) સહિત તપસ્યાના કરનારને સૂત્રમાં શું ફળ કહ્યું છે તે સૂત્રપાઠથી જણાવશે? ઉત્તર–સાંભળે, સૂયગડાંગ સૂત્રના અધ્યયન ર જે, ઉદ્દેશે ૧ લે ગાથા ૯ મીમાં કહ્યું છે કે – जइवियणिगणे किसेचरे, जइवियभुजिय मासमंतसो; जेइयमायाविगिजई, आगंतागभायणंतसो. ॥९॥ અર્થ --જે કોઈ અઘપિ દ્રવ્ય ભાવે નગ્ન (દ્રવ્યથી વસ્ત્ર રહિત ભાવથી નિષ્પરિગ્રહ) કૃશ દુર્બળ કીધું છે શરીર જેણે એવે પ્રવજ્ય આદરીને, દીક્ષા અંગીકાર કરીને વિચારે છે. વળી માસ માસખમણનાં પારણા કરે એટલે માસને અંતે જમે, તથાપિ જે આ સંસારને વિષે માયા (કપટ) સહિત સંગ કરે, ઉપલક્ષણથી કપાયાદિકે કરી યુક્ત હોય તે આગામી કાળે અનંતગર્ભાદિક દુઃખ પામે એટલે અનંતે સંસાર પરિભ્રમણ કરે. આજ ગાથાના આધારે, શ્રીમદ્યશવિજયજી ઉપાધ્યાયજીએ કહ્યું નગ્ન માસ ઉપવાસીયા સુણે સંતાજી, શીથ, લીએ કૃશનિ, ગુણવંતાજી; ગર્ભ અનંતા પામશે, સુણે સંતાજી; જે છે માયા મન, ગુણવતાજી. ૧. અહિંયાં તે માસ મા ખમણના કરવાવાળાને માયા (કપટ) કરવાથી અનંતા ગર્ભાવાસ (અનંતા જન્મ મરણ) નાં દુઃખ ભોગવવાનું તીર્થકર મહારાજે પણ કહેલ છે. મલ્લિનાથ ભગવાનના જીવે પૂર્વ ભવે માયાભાવથી માત્ર એકજ ઉપવાસ વધારી-છઠને અઠમ કરવાથી સ્ત્રીવેદનું કર્મ ઉપરાજી તીર્થંકરપદે સ્ત્રીપણે ઉત્પન્ન થયા, તે પછી તપસ્વી નામ ધરાવી રાતને દિવસ માયા કપટમાંજ જીંદગી ગાળનારની શી દશા થવાની ? પ્રશ્ન ૩ર–કીર્તિ અર્થે માયા સહિત તપસ્યા કરનારને શું ફળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005265
Book TitlePrashnottar Mohanmala Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages576
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy