SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૨ શ્રી પ્ર ત્તર મોહનમાળા –-માગ ૭ મે. ઉત્તર–દેવતા સંબંધીની નારકીને ૩-૪ ક્રિયા લાગે એમ પન્નવામાં કહેલ છે. પ્રશ્ન ૮૨–નારકી થકી દેવતાને પરિતાપ કેવી રીતે થાય કે દેવતા સંબંધીની નારકીને પરિતાપની ક્રિયા લાગે? ઉત્તર–કઈ પૂરવલે વેરવાઈ દેવતા નારકને દુઃખ દેવા ગયે હોય અને તેને દુઃખ દેતાં નારકી ધાતુર મરણી થઈ દેવતાને પ્રહાર કરે તે આશ્રી ૩-૪ કિયા લાગવી કહી છે. શાખ પન્નવણાના ગેટકાના પદ ૨૨ ની. પ્રશ્ન ૮૩–સિદ્ધાંતમાં ઉદ્દેશ, સમુફ્રેશને આજ્ઞા કહેલ છે તે શું ? ઉત્તર–ગુરૂએ અધ્યયનાદિકને ઉપદેશ કર્યો તે ઉદ્દેશ અને જે શિષ્ય સમજે તે સમુદેશ અને અણુજ્ઞા તે ગુરૂએ શિષ્યને આજ્ઞા આપી છે જેમ તમે ધાર્યું તેમ બીજાને ધરાવજો, તે આજ્ઞા પ્રશ્ન ૮૪–ચાર પ્રકારે કર્મ કથા કહી તે શી રીતે. તેનું નામ અને સ્વરૂપ શું ? ઉત્તર – ચાર પ્રકારની ધમકથાનાં નામ-આક્ષેપિણ ૧, વિક્ષેપિણી ૨, નિવેદિની ૩, સંવેદિની છે. તેનું સ્વરૂપ-જેણે કરીને તત્વમાર્ગમાં પ્રવૃત્તિ હેય એવી કથા કરવામાં આવે તે આક્ષેપિણ ૧, જેણે કરી મિથ્યાત્વની નિવૃત્તિ હોય તેવી કથા તે વિક્ષેપિણી ૨, જેણે કરી મેક્ષની અભિલાષા હોય એવી કથા તે નિર્વેદિની ૩, જેણે કરી વૈરાગ્યની ભાવના હોય એવી કથા કરવામાં આવે તે સંવેદિની કથા કહીએ. પ્રશ્ન ૮૫–નારકી દેવતાને આહારક, તેજસ, કાર્મની ઉત્કૃષ્ટી ૪ કિયા કહી તે કેમ? ઉત્તર–નારકી દેવતાનાં પૂર્વકૃત શરીર વસરાવ્યા વિનાના હોવાને લીધે તેના શરીરનાં પુદ્ગલને ફરસતાં આહારક તથા ઉદારિકને કલામના થવાથી ૪ કિયા લાગે. ઉદાકિને આશ્રી તૈજસ કાર્મણ રહ્યાં માટે તેની ૪ કિયા કહી. પ્રશ્ન ૮૬– ઉદેશે, સમુદ્રશે. અણુન્ત ને અણુયોગ એટલે શું? ઉત્તર–ઉદ્દેશે એટલે વાંચણી લેવી. સમુદેશે એટલે ધારણા કરવી. અણન એટલે વાંચણી દેવી. અણુગ એટલે ઉપદેશ દેવે. શાખ અનુગ દ્વારમાં શ્રુતજ્ઞાનના અધિકારે સૂત્ર મંડાતાં એ ૪ બેલ કહ્યા છે. પ્રશ્ન ૮૭–ઠાણાંગ ઠાણે ૧૦ મે દશ પ્રકારની સંજ્ઞા કહી છે તેમાં ઘસંજ્ઞા અને લકસંજ્ઞા કહી તે કોને કહેવી? ઉત્તર–બાબૂવાળા છાપેલ ઠાણુગ પાને ૫૭૧ મે કહ્યું છે કે-મતિજ્ઞાનાદિક આવરણને ઉપશમ તેના શબ્દાર્થને સામાન્ય અવધ થે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005265
Book TitlePrashnottar Mohanmala Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages576
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy