SearchBrowseAboutContactDonate
Page Preview
Page 557
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૮ ઉપદેશામૃત તમે ગોદો મારજોને એટલે હું હસીશ. ખેલ થયો, બઘા હસ્યા; પણ ગોદો નહીં આવેલો તેથી તે હસ્યો નહીં. પછી એક જણાએ ગોદો માર્યો એટલે તે એકલો હસવા લાગ્યો. તેવું ન થાય માટે આંખ જોઈશે. તા. ૨૯-૮-૩૪ દેવગતિમાં માનસિક દુઃખ ઘણાં છે, એવો વિચાર સમકિતીને જ હોય છે. સમકિતી આત્મા ઉપર લક્ષ રાખે છે. આત્મા છે એવું જરૂર માનો. આત્મા છે ? મુમુક્ષુન્હા, જ્ઞાનીએ જોયો છે. પ્રભુશ્રી જ્ઞાનીએ તો આત્મા જોયો છે; પણ આ પ્રતીતિ આવે છે કે આત્મા ન હોય તો આ સાંભળે કોણ ? તેને ભૂલવાનો નથી. મિથ્યાવૃષ્ટિ દેહ જ જુએ છે. તે ભૂલી જાઓ. આત્માની ઓળખાણ રાખો. તા.૩૦-૮-૩૪ સમ્યવૃષ્ટિ આત્મા સિવાય કંઈ પોતાનું ગણે નહીં. ગજસુકુમારે શું કર્યું ? ઘીરજ. ગાંઠે બાંધી લો ધીરજ, સમતા, ક્ષમા. વેદની વખતે વિચારવું કે મારું છે તે જવાનું નથી; અને જે જાય છે તે તડકાછાયાં જેવું છે પણ તેને મારું માનું જ નહીં. ગજસુકુમારને જ્ઞાની મળ્યા હતા. તેમણે જે માન્ય કરાવ્યું હતું તે જ પોતાનું માન્યું; બાકી બધું પર જાણ્યું. બધાયે જવાના છે– પર્યાયને કેમ મારા માનું ? જ્ઞાનીએ શું કર્યું છે ? રાગ, દ્વેષ અને મોહ કાઢ્યા છે. આ જીવનું ભૂંડું કોણ કરે છે ? પૂજાની ઇચ્છા, પુદ્ગલની, પારકાની ઇચ્છા શું રાખવી ? હવે શામાં મોહ કરવો ? મોહ કર્યો કે ફસાયો. નારકીને દુઃખ ભોગવતી વખતે કોણ બચાવવા આવે છે ? કોઈ કોઈનું નથી. તા.૧-૯-૩૪ બઘાની કાળજી કરી છે, બઘાની સંભાળ રાખી છે, બઘાની ચિંતા કરી છે; પણ આત્માની કાળજી, ચિંતા, સંભાળ કરી નથી. ચારે ગતિમાં બધે દુઃખ, દુઃખ ને દુઃખ છે. ઋષભદેવ ભગવાન આગળ અઠ્ઠાણું પુત્ર ગયા હતા તેમણે પૂછ્યું તે વાતના જવાબમાં એક જ કહ્યું છે : "संबुज्झहा जंतवो माणुसत्तं दछु भयं बालिसेणं अलंभो एगंतदुःक्खे जरि एव लोए सक्कम्मणा विपरियासु वेइ" Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005261
Book TitleUpdeshamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2002
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy