SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દાર્થ - અસુર નામના તે લોકો જાણવા કે જે અજ્ઞાન રૂપ અંધકાર વડે આચ્છાદિત છે. જે કોઈ આત્મઘાતક મનુષ્યો છે તે મરીને પુનઃ તેવી ગતિને પામે છે. અનુભવાર્થ - જે મનુષ્યો આત્માને જાણતા નથી, તમો - વૃત્તિવાળા છે, આત્મા, પરમાત્મા અને કર્મનું સ્વરૂપ જાણતા નથી, અને તેની શ્રદ્ધા પણ કરતા નથી, હિંસા, જાઠ, ચોરી, વ્યભિચાર વગેરે પાપો કરવામાં દોષ માનતા નથી, તથા તમોગુણી કર્મ તથા તમોગુણી નાસ્તિક બુદ્ધિવાળા છે, મનુષ્યોને મારી નાખવામાં જે હર્ષવાળા છે, જડવાદને માની તે પ્રમાણે વર્તનારા છે, નીતિનું વર્તન જેમને બિલ્કુલ રૂચતું નથી, જેઓ ધર્મશબ્દને ધિક્કારી કાઢનારા છે, જેઓ મન વાણી કાયાથી અઘોર પાપ કર્મો કરવામાં જરામાત્ર ખચકાતા નથી, અને પરમેશ્વરનો તથા પરભવનો ભય ગણતા નથી, તેઓ અસુરો છે. જે કોઈ આત્માના જ્ઞાન દર્શન ચારિત્ર ગુણને હણનાર છે, આત્માના અસ્તિત્વને ઉડાવાને જેઓ આત્માનું અસ્તિત્વ હણે છે, પ્રભુનું અસ્તિત્વ સ્વીકારતા નથી, તેઓ આસુરીવૃત્તિકર્મવાળા હોવાથી તેઓ અસુરલોકો કહેવાય છે, તેઓ મરીને પુનઃ આસુરી અવતારોને પામે છે. આત્માના અજ્ઞાનીઓ, પાપ કર્મથી નિવૃત્ત થઈ શકતા નથી. ય આત્માનં ખાનાતિ સ:સર્વ જ્ઞાનાતિ, માં બાળફ સો સર્વાંનાળફ. ॥ આત્માદિનું સમ્યગ્ જ્ઞાન થયા વિના મોહાંધકારનો નાશ થતો નથી. પઢમં નાળ તો વ્યા, પ્રથમ જ્ઞાનં તતઃ પશ્ચાત્ યા, ત્યાદિ શ્રુતિથી અજ્ઞાનીને મુક્તિ નથી એમ સિદ્ધ થાય છે અને જ્ઞાનીની મુક્તિ સિદ્ધ થાય છે. અજ્ઞાની અને પશુ બે સમાન છે. અજ્ઞાનીઓ ધર્મ અને અધર્મને જાણી શકતા નથી. આત્માના હણનારા અર્થાત્ મનુષ્યોનો સંહાર કરનારા, પશુ પ્રાણીઓનો સંહાર કરનારા તથા જાઠ, વ્યાભિચાર, ખૂન, અન્યાય, મહા પાપ વગેરે અઘોર પાપ કર્મ કરનારા, ભલે ઈશ્વરને - આત્માને માને તો પણ તેઓના દુષ્ટ કર્મ ગુણ અને અજ્ઞાનથી તેઓ અસુરો છે. મનુષ્ય મારવું અને માખી મારી નાખવી તેમાં જેઓને કંઈ ભેદ નથી એવા અજ્ઞાન આચરણવાળા મનુષ્યો અસુરો છે, તેથી તેઓ આત્મ હણનારા જાણવા. એવા આત્મઘાતક અસુરો પુનઃ નરક ગતિ અને તિર્યંચની ગતિમાં જાય છે અને મનુષ્યની ગતિ પામે તોપણ તેઓ આસુરી વૃત્તિ કર્મવાળા મનુષ્યો થાય છે, તેઓને આત્મજ્ઞાન થવાનાં સાધનો પ્રાયઃ મળતાં નથી. કેટલાક અજ્ઞાની જીવઘાતક આસુરી મનુષ્યો ઓધે પરમેશ્વરને માને છે તો પણ તેઓ એમ માને છે કે પરમેશ્વરને મનુષ્ય, બકરી, પાડો, ઘોડો વગેરેનું રક્તમાંસ ખાવાનું ગમે છે એમ માનીને તેઓ પરમેશ્વરના નામે મનુષ્યને મારી નાખે છે, ગાય ભેંસ, પાડા, ઘોડા, બકરાઓ વગેરેને પરમેશ્વરના નામે મારી નાખે છે અને તેથી પોતાના પર પરમેશ્વર પ્રસન્ન ખુશ થાય Jain Education International For Private & Personal Use Only ૨૨૧ www.jainelibrary.org
SR No.005257
Book TitleJain Gita Kavyono Parichay
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2001
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy