SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મ, ઈશ્વર, આદિની એમ સ્યાદ્વાદ દૃષ્ટિએ સિદ્ધિ થાય છે એમ અપેક્ષાવાળા સ્યાદ્વાદ શ્રુતજ્ઞાનમાં વિશિષ્ટાદ્વૈતસિદ્ધાંતનો અંતર્ભાવ થાય છે અને કેવળ પરમભાવ ગ્રાહકજ્ઞાન નયની દૃષ્ટિની અપેક્ષાએ, આત્મા એક સત્તાએ શુદ્ધ સત્તા દ્રવ્યાર્થિકન ગ્રહીને તેમાં મુખ્યતાએ અદ્વૈતવાદ શ્રુતિયોનો અંતર્ભાવ કરવામાં આવે છે એટલે સ્યાદ્વાદ શ્રુતિજ્ઞાનમાં કેવલા દૈત, વિશિષ્ટાદ્વૈત, શુદ્ધાદ્વૈત અને વૈતવાદનો અપેક્ષાએ અંતર્ભાવ થાય છે. આ કંડિકામાં ઈશ્વર અને દેહાદિ જડ એમ બે તત્ત્વની સિદ્ધિ સ્પષ્ટ દેખાય છે. ઈશ્વર કર્તુત્વવાદનો પણ સ્યાદ્વાદ શ્રુત જ્ઞાનમાં ભક્તિમહિમાની ઔપચારિક દૃષ્ટિએ સમાવેશ થાય છે. તેથી ર વર્તુત્વવાની દૃષ્ટિએ જે અર્થ કરવામાં આવે છે તે ૩પવરિત અભૂતનવૃષ્ટિએ જાણીને તેનો સ્વાદવિષ્ટિકૃતિયોમાં અંતર્ભાવ થએલ છે એમ જાણવું. આ કંડિકામાં પ્રામાણિક જીવન ગાળનાર, પ્રભુનો ભક્ત બની શકે છે એમ જણાવ્યું છે. ન્યાય સંપન્ન ધનથી આજીવિકા ચલાવવી. કોઈ પણ મનુષ્યની અન્યાયથી મિલ્કત ન પડાવી લેવી, તથા આહાર શુદ્ધિ કરવી, અન્યાય હિંસાથી ગ્રહણ કરેલા ધન આહારાદિકથી હૃદયની અશુદ્ધિ થાય છે. આહાર શુદ્ધિથી હૃદયની શુદ્ધિ થાય છે. હૃદયની શુદ્ધિ થવાથી આત્માનો સાક્ષાત્કાર થાય છે, આહારાદિક પદાર્થોને આસક્તિ રહિત વાપરવા. શરીરરૂપ આવાસમાં પણ અહંમમત્વ બુદ્ધિથી મૂંઝાવું નહિ. રજોગુણી અને તમોગુણી ત્યાગથી હૃદયની શુદ્ધિ થતી નથી. સાત્વિકત્યાગથી આત્માની અનુભવ દશા પ્રગટે છે માટે તેવા સાત્વિક ત્યાગની બુદ્ધિએ ભોજનાદિક પદાર્થોને ભોગવવા અને સર્વ જડચેતનમય જગતુમાં આત્મા સાક્ષી રહે એવા સાક્ષીજ્ઞાનના ઉપયોગથી વર્તવું. આત્મા હું એક છું. આત્માની સાથે સંબંધિત જડ પદાર્થો તે વસ્તુતઃ આત્માના નથી એમ જાણવું. કોઈના પ્રાણ-ધનના ગ્રહણની ઇચ્છા પ્રગટ થતાંજ તુર્ત વારવી, પોતાની પાસે રહેલા ધનાદિક પદાર્થની મમતા રાખવી નહીં. એમ જે પરિપૂર્ણ વર્તે છે તેને ૐ શોપનિષદ્ આદિ ઉપનિષદોના વેદાન્તજ્ઞાનનો અનુભવ આવે છે, પશ્વાત્ આત્માના કેવલજ્ઞાનનો આવિર્ભાવ થાય છે. જ્યાં સુધી પરના ધનની ગ્રહણેચ્છા વર્તે છે અને પર પદાર્થોનો હિંસા અન્યાયાદિથી ભોગ થાય છે ત્યાં સુધી લાખો શ્રુતિયોને મુખથી બોલવામાં આવે તો પણ તેથી આત્માનો અનુભવ પ્રાપ્ત થતો નથી માટે શુષ્કજ્ઞાની થવા માત્રથી કંઈ વળતું નથી. પ્રામાણિક જીવન, પરધનત્યાગ બુદ્ધિ તથા અન્યાય હિંસાથી પરધનનો, પર શરીરનો ભક્ષણરૂપ ભોગ તેથી વિરમતાં ચારિત્રગુણ પ્રગટે છે ત્યારે સાત્ત્વિક બુદ્ધિ, સાત્ત્વિક નીતિ આદિનો પ્રાદુર્ભાવ થાય છે અને તેથી પરમેશ્વરનો અનુભવ સાક્ષાત્કાર થાય છે. અમુક સંપ્રદાયના અન્યાયી અને અમુક શાસ્ત્રો ભણી શાસ્ત્રવાસના ધારણ કરવા માત્રથી આત્માની શુદ્ધતા થતી નથી. હિંસા, જદૂઠ, ચોરી, વ્યભિચાર, લોભ ૨૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005257
Book TitleJain Gita Kavyono Parichay
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2001
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy