SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગૌતમ સ્વામિના પવિત્ર નામ સ્મરણથી યુદ્ધમાં વિજય મળે છે, સ્વામી – શેઠ રાજી થાય છે, વિનય એટલે નમ્રતા તથા વિવેક એટલે હિત-અહિતનું ભાન આ બે ગુણ આવે છે, તથા અનેક પ્રકારના લાભની પ્રાપ્તિ થાય છે શ્રી ગૌતમ સ્વામિના નામ લેનાર પાસે પાપ છુપું રહે નહીં – પાપનો નાશ થાય છે, સર્વ પ્રકારના દુઃખો દૂર થાય છે, સર્વ પ્રકારના કર્મ ખપી જાય છે–નાશ પામે છે, તથા શિવ-શર્મ મેક્ષ-સુખ મળે છે, ૧૫ હવે ઘણું શું વર્ણન કરીએ? ટુંકમાં તમે નિશ્ચયથી એમ જાણી લે કે શ્રી ગૌતમ સ્વામિનું નામ સ્મરણ કરતાં જાગીએ એટલે સાવધાન થઈને યાદ કરીએ તે નામ સ્મરણના મહિમાથી જીવ જે ઈચ્છાઓ કરે તે તેને ફળે (કળશ સંસ્કૃત ભાષામાં છે તેને અર્થ :) ભક્તિ એટલે બહુમાન પૂર્વક ઉત્પન્ન થયેલ, ફીત એટલે ઉજવળપવિત્ર, મુદા એટલે હર્ષના, આલય એટલે સ્થાનરૂપ, અનેક ગણધરના ચરણકમળને સેવવામાં ભ્રમર સરખા, એવા શ્રી પાચકે આ પ્રકારે શ્રી ગૌતમ સ્વામિની મનોહર સ્તુતિ બનાવી છે તે મનહર સ્તુતિનું જે ચંગાત્મકા–સુંદર આત્માઓ પ્રભાત સમયે સ્મરણ કરે છે તે હંમેશાં મનવાંછિત ફળ તરત જ મેળવે છે. રાસ - અર્થ સંપૂર્ણ ૧૬ ૧૭ પ્રથમ રસ નિમગ્ન; દષ્ટિ યુગ્મ પ્રસન્ન, વદન-કમલમંકઃ કામિની સંગ શૂન્ય કરયુગમપિયત્તે શસ્ત્ર સંબંધ વધ્ય, તદસિ જગતિ લેકે, વીતરાગરત્વમેવ. (જેઓ શાંતરસમાં તલ્લીન છે, જેમની બે આંખે પ્રસન્નતાભરી છે, જેમનું મુખ કમળ સમાન છે, જેમને બે સ્ત્રી સંગ રહિત છે, જેમના બન્ને હાથ કેઈ પણ જાતના શસ્ત્ર હથિયાર રહિત છે એવા એક જ સુદેવ વીતરાગ પરમાત્મા જ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005256
Book TitleJain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Original Sutra AuthorN/A
AuthorKumudchandra Gokaldas Shah
PublisherKumudchandra Gokaldas Shah
Publication Year1979
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy