SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ શ્રી ગૌતમ સ્વામિ ૨૮ અથવા અનેક લબ્ધિના ભડાર છે. શ્રી ગૌતમ સ્વામિના નામ સ્મરણથી જીવ નવે (૯) નિધાન પામે છે, કારણ કે મનોવાંછિત પઢા પૂર્ણ કરનાર દિવ્ય-ગૌ (એટલે કામધેનુ) ના પ્રથમ અક્ષર ગૌ, મનાવાંછિત ફળની સિદ્ધિ કરનાર દિવ્ય—તરૂ (એટલે કલ્પતરૂ, કલ્પવૃક્ષ) ના પ્રથમ અક્ષર ત, અને મનવાંછિત કાની સિદ્ધિ કરનાર દિવ્ય-મણિ (એટલે ચિંતા દૂર કરનાર રત્ન— ચિંતામણિ) ના પહેલા અક્ષર મ-એ ત્રણે અક્ષરો એકઠા થઈ જાવે ગૌતમ’” નામ અન્ય હાય તેમ લાગે છે અને તેથી શ્રી ગૌતમસ્વામિ પોતાના નામના ગુણુ પ્રમાણે મનવાંછિત ફળ આપે જ એમાં શુ આશ્ચય છે? ૩ શ્રી ગૌતમ સ્વામિના જન્મનું સ્થાન ‘ગુવ્વર ′ નામનુ’ ગામ છે. આમાલવૃદ્ધ સૌ લેાકેા નાના મોટા સ મનુષ્યે તેમના ગુણના વખાણુ કરે છે. વળી અનેક ભાટચારણા તેમની “ આલગે ‘એટલે સેવા કરે છે, ૪ ગૌતમ મોટા ગુણના ભંડાર, મ્હાંતેર કળાના પારગામી, તથા ચૌદ વિદ્યાઓના અભ્યાસવાળા છે, તે ચૌદે વિદ્યાએ જાગતી જ્યેાતિની માફક તેમના મનમાં વસેલી છે. : [ ચૌદ વિદ્યા ૬ અંગ + ૪ વેદ = ૧૦, (૧૧) મીમાંસા (૧૨) ન્યાયના વિસ્તાર, (૧૩) પુરાણુ અને (૧૪) ધ શાસ્ત્ર] અથવા [ચૌદ વિદ્યા : (૧) નોા-ગામિની (૨) પરકાય—પ્રવેશિની (૩) રૂપપરાવતિ ની (૪) સ્તંભની (૫) માહિની (૬) સુવર્ણ –સિદ્ધિ (૭) રજતસિદ્ધિ (૮) મધથેાભિની (૯) શક-પરાજયની (૧૦) રસ-સિદ્ધિ (૧૧) વશીકરણી (૧૨) ભૂતાદિ-ક્રમની (૧૩) સર્વ સંપત્–કરી (૧૪) શિવપદ્મ-પ્રાપિણી. ] શ્રી મહાવીર પ્રભુના ૧૪૦૦૦ શિષ્યા હતા તે સવ માં પ્રથમ એટલે અગ્રેસર, મુજગીશ એટલે મનવાંછિત પૂરનાર અથવા જગતમાં સારી રીતે પૂજ્ય, એવા શ્રી ગૌતમ સ્વામિના ચરણમાં મસ્તક નમાવીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005256
Book TitleJain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Original Sutra AuthorN/A
AuthorKumudchandra Gokaldas Shah
PublisherKumudchandra Gokaldas Shah
Publication Year1979
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy