SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૧ પ્રતીતિ થતી નથી–પિતે કોણ છે તેને ખ્યાલ જીવને આવતા નથી તેથી તે દર્શન દર્શન મેહનીય કહેવાય છે-દર્શન એટલે સમ્યમ્ દર્શન– સમ્યકત્વ-સમક્તિ-જૈન ધર્મ ઉપર સંપૂર્ણ શ્રદ્ધા, સાચી માન્યતા. દર્શન મેહનીય કર્મ આમાં મુંઝવણ ઉભી કરે છે. તેના ત્રણ ભેદ છે તે પરિહાના છે (અ) મિથ્યાત્વ મેહનીય એટલે ગાઢ દુબુદ્ધિ યુક્ત મોહવાળી પ્રકૃતિઃ કમળાના રોગ જેવી છે સત્ય અથવા ન્યાય સ્વરૂપ વસ્તુને જીવને થોડો પણ યથાર્થ ખ્યાલ આવતું નથી. ઊલટું તેના વિષે અવળે ખ્યાલ આવે છે. જેમાં ગુણ છે તેને અવગુણવાળું કહે, સફેદને કાળું કહે કે દુધ હોય ત્યાં સુગંધ કહે. (બ) મિશ્ર મોહનીય અથવા સમ્યકત્વ-મિથ્યાત્વ મેહનીય : (અ) અને (ક) નું મિશ્રણ. સમ્યક્ત્વ છે એટલે જીવ વીતરાગ માર્ગની રૂચિવાળે થાય પરંતુ મિથ્યાત્વ હોવાથી તે રૂચિમાં મુંઝાય અને સિદ્ધાંતમાં કહેલી બાબત એગ્ય રીતે અમજે નહીં. (ક) સમ્યકત્વ મેહનીય ધર્મમાં સંપૂર્ણ શ્રદ્ધા થવામાં મુંઝવી નાખેઃ સમતિ થવામાં આડે આવનાર કર્મને સમ્યકત્વ મેહનીય કહે છે. આ પ્રકૃતિવાળી વ્યક્તિ સંપૂર્ણ મિથ્યાત્વ રહિત થતી નથી. આ પ્રકૃતિ (અ) અને (બ) ની મધ્યમાં છે. એટલે મિથ્યાત્વમાં નહીં તેમજ સમ્યક્ત્વમાં નહીં. પ-૬-૭ : રાગ એટલે પદગલિક વસ્તુ તરફ પ્રીતિઃ આકર્ષણ. રાગ ત્રણ જાતને છે ? (અ) કામરાગ : ભૌતિક ઇચ્છાઓ તરફ આકર્ષણ--પ્રીતિ. (બ) સ્નેહરાગ: કનેહને લીધે–પ્રેમને લીધે રાગ હેય તે : કુટુંબ, મિત્રમંડળ વગેરે તરફ. (ક) દ્રષ્ટિરાગ : મિલનથી અથવા દછિને લીધે રાગ હોય છે. પિતાની માન્યતા, પિતાને અભિપ્રાય મળતા આવે તે તરફ રાગ કરે : આ ત્રણે રાગ કહેતુ હેવાથી ટાળવાના છે. ૮-૯-૧૦ : ત્રણ તત્વ આદરવાનાં છે. સુદેવ, સુગુરુ, સુધર્મ. ત્રણેનું વિસ્તારપૂર્વક વર્ણન અતિચારમાં આવી જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005256
Book TitleJain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Original Sutra AuthorN/A
AuthorKumudchandra Gokaldas Shah
PublisherKumudchandra Gokaldas Shah
Publication Year1979
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy