SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૯ આધુનિક જગતમાં જ્ઞાનના વિસ્તાર વધતા જાય છે. આ જ્ઞાન વિજ્ઞાનનું અને ઉદ્યોગવિજ્ઞાનનું છે. શાંતિથી એશઆરામની જીદંગી ગાળવાનાં સાધના તેમજ યુદ્ધનાં સાધના વધતાં વિશ્વ જોખમભરેલી પરિસ્થિતિમાં મુકાઈ ગયું છે. જગત યુદ્ધ, જાતીય સંબંધ અને જાતિઓની એકતાના પ્રશ્નોનો સામનો કરી રહ્યું છે. યુદ્ધ કરતા પક્ષે વિશ્વબંધુત્વની ભાવનાને તે સમય પૂરતી નકારે છે. યુદ્ધના અંગારા જ્યારે ઠંડા પડે છે ત્યારે અવિચારીપણાને કારણે ભાગ બનેલાં નિર્દોષ જનાનાં આક્રંદ, તેમજ અવશિષ્ટ રહેલી વ્યક્તિઓનાં પુનર્વસવાટ માટેનાં આક્રંદ બંધુત્વની ભાવનાને જાગૃત કરે છે. અહિંસાના સંદેશના પ્રગતિશીલ ફેલાવાથી યુદ્ધના કેવી રીતે પરિહાર થઈ શકે તે, તેમજ ભિન્ન ભિન્ન સંપ્રદાયો સ્થિર સમાજની રચના માટે કેવું પ્રદાન કરે છે તે પહેલાં દર્શાવાઈ ગયું છે. બીજાં વિશ્વયુદ્ધ અમાનુષી કાર્યપ્રક્રિયાથી બંને પક્ષે કેવી આપત્તિ ઊભી થાય છે તેનું નિદર્શન આપ્યું છે. ધર્મનિષ્ઠા અને નૈતિક આદર્શવાદ માનવનાં મન પર સામ્રાજ્ય નહીં ભાગવે ત્યાં સુધી સમાજમાં સલામતી નથી અને મનુષ્યની સાત પ્રકારની મુકિત જળવાઈ રહેવાને કોઈ અવકાશ નથી. આધુનિક જગતમાં ધર્મસિદ્ધાંતોની યથાર્થતા અને તેમના ઉપયોગને માત્ર ધર્મગુરુઓ પર છેાડી શકાય એમ નથી. વૈજ્ઞાનિકો, દાર્શનિકો, માનવતાવાદીઓ, સમાજશાસ્ત્રી અને ન્યાયશાસ્ત્રીએ તેમની સાથે બેસીને વિચાર કરવાના છે, તેમને બૌદ્ધિક સામગ્રી અને ઈશ્વરવાદના સિદ્ધાંતોને સમજવા માટેની પૃષ્ટભૂમિ તૈયાર કરી આપવાની છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંબંધેાના નિયમેામાં નીતિશાસ્ત્રના નિયમાનું આચરણ શી રીતે સંભવિત બને તે અંગેની ભૂમિકા રચવાની છે. યુદ્ધ અને જાતિગત ભેદભાવાના પરિહાર માટે કોઈ પણ ભાગે જીવનની પવિત્રતા સ્થાપિત કરવાની છે, મનુષ્યનાં વ્યક્તિત્વનાં ગૌરવને માન્ય રાખવાનું છે. અહિંસા, સત્ય, લાભના અભાવ, આત્મનિગ્રહ અને અનુચિત આસકિતના પરિહાર — આ સર્વ ગુણા વ્યક્તિ તેમજ સામાજિક જૂથોની વ્યાવહારિક આચારસંહિતા બનવી જોઈએ. આંતરરાષ્ટ્રીય સંબંધામાં તેમને લાગુ પાડતાં આ બધાંનું એકઠું નામ ‘પંચશીલ ’ એવું છે. પંચશીલ પ્રમાણે પ્રત્યેક રાષ્ટ્ર (૧) એકબીજાના પ્રદેશની અખંડિતતા માટે અરસપરસ માન જાળવવાનું છે. (૨) આક્રમણ ન કરવાની નીતિ અખત્યાર કરવાની છે. (૩) એકબીજાના આંતરિક મામલામાં માથું મારતાં અટકવાનું છે. (૪) એકબીજાના લાભ માટે સમાનતાના સિદ્ધાંત વિસ્તારવાના છે. (૫) શાંતિમય સહઅસ્તિત્વના સિદ્ધાંત સમજવાના તેમજ આચરવાના છે. આર્થિક પ્રગતિનાં ઉપકરણ તરીકે ધર્મ, માલમિલકત માટેના એકબીજાના હક તેમજ પોતાના ધંધા કે વેપાર કરવાની છુટ જેવા નૈતિક આચારોનું માત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy