SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ વાત તેમણે પડતી મૂકવી પડે છે, અને તેમને ગમતાં કામમાં પેાતાને રુચિ રાખવી પડે છે. આ બધી હકીકતો પુરવાર કરે છે કે આપણે જે વસ્તુઓ ખાતર જીવીએ છીએ તે વસ્તુના ગુણ ઉપર આપણાં સુખદુ:ખ આધાર રાખે છે. આ વસ્તુઓ નશ્વર હોય છે. ૨૪૯ પ્રત્યેક ધર્મનું વિધાન છે કે બધાં મનુષ્યા જન્મે સમાન છે. પણ જુદા જુદા દેશામાં પ્રજાના જુદા જુદા વર્ગોને સમાન સામાજિક દરજ્જા અને સમાન હક મળ્યા નથી. Declaration of Independence માં જેફરસને કહ્યું છે કે બધાં જન્મે સમાન છે અને સર્જનહારે જીવન, સ્વાતંત્ર્ય, સુખની સાધના જેવા હકો આપ્યા છે, છતાં હબસીઓને આવા હકો મળ્યા નથી. મુડીવાદી સમાજરચના ગુલામી, દાસત્વ અને જાતિગત ભેદભાવને હજી ચાલુ રાખે છે. આપણા ભારત દેશમાં, રાજ્યબંધારણની સત્તરમી કલમ અસ્પૃશ્યતાને દૂર કરે છે અને જાહેર કરે છે કે અસ્પૃશ્યતાને કારણે કોઈને પણ અધિકૃત ગણવામાં આવશે, તો તે ગુનો ગણાશે અને આવા ગુના કરનાર વ્યક્તિ કાયદા પ્રમાણે શિક્ષાને પાત્ર ઠરશે. પરંતુ આ સામાજિક અનિષ્ટ હજી પ્રવર્તે છે અને એ વર્ગના લોકોને માત્ર તેમના જન્મને કારણે સામાજિક દરજ્જો ન આપવાની સ્થિતિ હજી ચાલુ છે. એક માણસ બીજાને ગુલામ બનાવે અને તેને હબસી કે અસ્પૃશ્ય ગણે તેને ધર્મ કે નીતિ સમર્થન આપતાં નથી. આ અને આવા બીજા બનાવા આજના માણસનાં મનને વ્યથિત કરે છે. મોટા ભાગના લોકો જે વસ્તુને પેાતાનાં જીવનનું લક્ષ્ય માની બેઠા છે તે વસ્તુઓ આપણાં અસ્તિત્વને ટકાવવા કે પ્રેરણા આપવા માટે કાંઈ ઉપાય બતાવતી નથી, અને આપણા ઉચ્ચ વિચારોને તે બાધક નીવડે છે. વળી આજની પેઢી પોતાની જાતમાંથી વિશ્વાસ ગુમાવી બેઠી છે. સમાજનું અંગ તે વ્યકિત. વ્યક્તિને પોતાની સુષુપ્ત શક્તિમાં અંડગ વિશ્વાસ રહે તે માનવતાના સુખ અને શાંતિ માટે બહુ જરૂરી છે. આપણા પાતામાં રહેલી નિત્ય અને અનંત શક્તિની સભાનતા આપણને આનંદથી ભરી દે છે અને જીવવાનું બળ આપે છે, તેમજ આપણા વિચારો અને કાર્યોને નશ વળાંક આપે છે. જૈન ધર્મ પ્રમાણે જીવ અને પુદ્ગલ મહત્ત્વનાં દ્રવ્યો છે અને વિશ્વ અસૃષ્ટ અને નિત્ય છે. વિશ્વમાં અસંખ્ય જીવો છે. જીવના ગુણા અનંત જ્ઞાન અથવા સર્વજ્ઞત્વ, અનંત આનંદ, અનંત બળ અને અનંત શક્તિ છે. જીવ રૂપ ધરાવતા નથી; પેાતાનું ભાગ્ય તે જાતે જ ઘડે છે. પોતાનાં કર્મફળના તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy