SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૯ આત્યંતર તપની પ્રક્રિયામાં સૌથી વધુ મહત્ત્વનું અંગ, ધ્યાન છે. અન્ય હિન્દુ વિચારધારાની જેમ, જૈન ધર્મ પણ ધ્યાનને આધ્યાત્મિક સાક્ષાત્કારનાં સાધન તરીકે ખૂબ મહત્ત્વ આપે છે. શુદ્ધિની સાથેસાથે જીવ એકાગ્ર થવાની શકિત પણ વિકસાવે છે. ધ્યાનની વ્યાખ્યા આપતાં ઉમાસ્વામીએ કહ્યું છે કે ધ્યાન એટલે કોઈ પણ એક વસ્તુ પર વિચાર એકાગ્ર કરવા; બીજા બધા વિષયોમાંથી મનને વાળી લઈ, એક વિષય પર ધ્યાનને સ્થિર કરવાનું હોય છે. આવું ધ્યાન એક અંતર્મુહુર્ત એટલે કે ૪૮ મિનિટ સુધી કરવાનું છે. એક રીતે જોતાં ધ્યાન નકારાત્મક છે કારણ કે તેમાં બીજા વિચારોને દબાવી દેવાના છે. એકાગ્રતા ખંડિત થવાનાં કેટલાંક કારણો અહીં આપ્યાં છે. પોતાની પ્રગતિ માટે જાહેર અભિપ્રાય અને હેતુની પ્રતીતિ કરવી; કષા, તૃષ્ણાઓ, ભાવ, ઉત્તેજનાઓ, જેમને અનુભવવાની મનને લાંબા સમયથી ટેવ પડી ગઈ છે. આ બધાં કારણો જીવને શાંતિમાંથી અને દેહને વિશ્રાંતિમાંથી યુત કરે છે. નાદુરસ્ત તબિયત, વિલાસની ટેવો અને મુશ્કેલીઓ સહન કરવાની અશકિત પણ ધ્યાનની એકાગ્રતાને ખંડિત કરે છે. આહાર તેમજ મન અને શરીરની પ્રવૃત્તિઓ પર અંકુશ, શારીરિક તેમજ માનસિક બધી પ્રવૃત્તિઓનાં દમનમાં મહત્ત્વનો ભાગ ભજવે છે, તેમજ દઢ સંકલ્પબળના વિકાસ માટે કારણરૂપ બને છે. એકાગ્રતા માટે દૃઢ સંકલ્પબળ ઘણું જરૂરી છે. ધ્યાનની સ્થિરતાને માટે આસન પણ જરૂરી છે. કારણ કે લાંબા વખત સુધી સગવડભરી સ્થિતિમાં બેસી શકાય નહીં. આસન વિશે સામાન્ય નિયમ એ છે કે એવી રીતે ઊભા રહેવું કે બેસવું જેથી શરીરતંત્ર પર ઓછામાં ઓ બોજો આવે. શારીરિક સુવિધા ખાતર તપશ્ચર્યાનો ભાવ હણાય નહીં તેની કાળજી રાખવી. પદ્માસન, વીરાસન અને સુખાસન એ પ્રચલિત આસને છે. ધ્યાન માટે કયાં ક્યાં સ્થળોનો ત્યાગ કરવો અને કયાં કયાં સ્થળ પસંદ કરવાં તે વિશે જ્ઞાનાર્ણવ મોટી યાદી આપે છે. સુબ્ધ કરે, મનને રોકી રાખે, અણગમો ઉપજાવે કે કાગડા, ઘુવડ, ગધેડા, કૂતરા વગેરેને કારણે કોલાહલભરેલાં કે ધ્યાનના પ્રયાસોને વિક્ષિપ્ત કરે એવાં સ્થળો છોડી દેવાં. પર્વત, ગુફા, કે એકાંત સ્થળ પસંદ કરવાં. લાકડાનાં પાટિયાં, પથ્થર, જમીન કે રેતાળ સ્થાન પર યોગીએ ધ્યાન માટે બેસવું. ગાઢ ધ્યાન માટેની શારીરિક તૈયારીમાં આહાર ઉપર અંકુશ, સગવડભરેલી સ્થિતિ અને સામાન્ય નિદ્રા જરૂરી હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy