SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૫ રીતે ભિન્ન લક્ષણો ધરાવે છે તે ભુલાઈ ગયું છે. આત્મહત્યા કરતી વ્યકિતની મનોદશા નીચે ગણાવેલાં લક્ષણોમાંથી એક કે વધુ લક્ષણો ધરાવે છે : (૧) દ્વિધાવૃત્તિ અથવા મરવાની ઇચ્છા જે એક સાથે રહીને માનસિક સંઘર્ષ ઉપજાવે છે. (૨) નિરાશા અથવા નિરાધારપણું અને પ્રશ્ન હલ કરવાની અશકિત (૩) શારીરિક કે માનસિક થાક, કે વિફળતાની ભાવના અથવા બને (૪) ચિતા, ભાર, અવસાદ, ક્રોધ, અપરાધ કે એમાંની કેટલીક લાગણીઓથી ભરેલું મન. (૫) શ્રમિત અને અવ્યવસ્થિત મન તેમજ વ્યવસ્થા કે શાંતિ સ્થાપિત કરવાની અશકિત (૬) પરિતાપ ઉત્પન્ન કરતા સંજોગોના ઉકેલ માટે મનનું અસામ. (૭) ઉત્તેજના, વિફળતા કે અત્યંત અવસાદને કારણે જીવનમાં નીરસતા કે જીવનના ભયનો અભાવ (૯) ગુપ્ત રીતે કે એકાએક અને અપરાધ દ્વારા આણવામાં આવેલું મૃત્યુ. ફાંસીએ લટકીને, કપાઈને, વિષ ખાઈને કે બંદુકના નિશાન બનીને મૃત્યુ લાવવામાં આવે. સલ્લેખનાવત ગ્રહણ કરતો સાધુ કે ગૃહસ્થ આમાંની કોઈ પણ પ્રકારની માનસિક અપૂર્ણતા કે ભાવોની ઉત્તેજના, અવસાદ, કે વિફળતા ધરાવતું નથી. પિતે પિતાને જેમાંથી બચાવવા અસમર્થ હોય, એવા સંજોગોમાંથી ભાગી છુટવા માટે આત્મહત્યા કરવામાં આવે છે. તેમાં ઉગ્ર કે વાંધાજનક સાધનો દ્વારા તત્કાળ જીવનનો અંત આણવાનો હેતુ હોય છે. આત્મહત્યા કરનારના કુટુંબ કે સ્વજનોને આત્મહત્યા નુકસાન કરે છે. આપઘાત એકાંતમાં કરવામાં આવે છે અને તેને માટે વાંધાજનક રીતે અપનાવવામાં આવે છે. સલ્લેખના, ગુરુની પૂર્ણ અનુમતિથી, સૌ પ્રત્યે ક્ષમાપૂર્ણ અને કરુણાપૂર્ણ મન સાથે, મન સર્વ કષાયોથી મુક્ત હોય, ત્યારે ગ્રહણ કરવામાં આવે છે. મૃત્યુ અહીં ભકિત અને ધાર્મિક લાગણી જગાડે છે જ્યારે આત્મહત્યામાં મૃત્યુ સાથે ત્રાસ અને ધૃણા સંકળાએલાં હોય છે. આમ હેતુ, સંજોગ, સાધને, મૃત્યુનાં પરિણામ, બધાંની દષ્ટિએ આત્મહત્યા અને સલ્લેખના ભિન્ન છે. જૈન ચિંતકોએ આ પ્રશ્ન ઉપસ્થિત કરી સલ્લેખના આત્મહત્યા નથી એવું પુરવાર કરવા સચોટ કારણો આપ્યાં છે. અમૃતચન્દ્ર સૂરિએ એટલી ચોકસાઈપૂર્વક આત્મહત્યાની વ્યાખ્યા આપી છે કે કોઈ પણ આધુનિક ન્યાયના આલોચકની કસોટીમાં તે પાર ઉતરે : “કષાયથી પ્રવૃત્ત થઈને, શ્વાસ ગુંગળાવીને, જળ, અગ્નિ, વિષ, કે શસ્ત્ર દ્વારા જીવનને અંત આણે તે આત્મહત્યાને અપરાધ કરનાર કહેવાય”. સલ્લેખનામાં બધી ઈચ્છાઓ અને કષાયો ગૌણ બની ગયા હોય છે, સ્વૈચ્છિક અનશન દ્વારા ધીમે ધીમે શરીરને ક્ષીણ થવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy