SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૯ મુક્ત ન બને ત્યાં સુધી સાચું ધ્યાન શક્ય નથી. બધી ભૂલ, અતિચાર, વ્રત તેમજ ચારિત્રના નિયમો ભાંગ્યાની ગુરુ આગળ ખુલ્લે દિલે અને નિખાલસ મનથી કબૂલાત કરવામાં પ્રાયશ્ચિત આવી જાય છે. કબૂલાત પછી પ્રમાદ કે બીજી કોઈ રીતે આ પ્રકારની ભૂલ કે ભંગ નહીં થાય એવા નિશ્ચય સાથે ખરો પસ્તાવો થવો જોઈએ. પસ્તાવો વાણી અને કર્મમાં જાગૃતિ કે ચપળતા પ્રેરે છે. ખરું જોતાં તે આત્મતિરસ્કારનું કાર્ય છે. કોઈ વિશિષ્ટ વિષયમાં ગુરુ કોઈ સાવચેતી લેવાનું સૂચવે તે સન્માનપૂર્વક તે સ્વીકારી લેવું જોઈએ અને આચરણ કરવું જોઈએ. આત્યંતર તપના બીજા પ્રકારમાં નમ્રતાનો વિકાસ અને જિન, ગુરુ તેમજ ધર્મગ્રંથ તરફને આદર આવી જાય છે. વિનયનાં સાંસારિક અને બાહ્ય પરિણામે વિશાળ હૃદય, મૈત્રી, સન્માન, ગુરુકૃપા, જિનોના આદેશનું પાલન, દુબુદ્ધિને પરિત્યાગ વગેરે છે જ્યારે આંતર પરિણામો સંયમ, તપશ્ચર્યા, જ્ઞાનપ્રાપ્તિ, જીવની શુદ્ધિમાં સુગમતા, કૃતજ્ઞતા, સાદાઈ, બીજાના સદ્ગણોની પ્રશંસા અને છેલ્લે એક્ષપ્રાપ્તિ છે. ત્રીજું ત૫ બીજા સાધુઓની સેવા છે, તેને આગળ ઉપર વિચાર થઈ ગયો છે. સ્વાધ્યાય એટલે જાતે અધ્યયન અને ધર્મગ્રંથોનું અધ્યયન. માત્ર ધર્મગ્રંથના જ્ઞાનમાં વૃદ્ધિ કરવાનો આશય નથી પરંતુ જૈન સિદ્ધાંતોની યથાર્થતામાં વધારે દઢ શ્રદ્ધા પ્રાપ્ત કરવાનો આશય પણ છે. ત્યાગ બાહ્ય પણ હોય અને આંતર પણ હોય, અને તેમાં બધા લૌકિક પદાર્થો તેમજ અહંકાર અને કષાયને ત્યાગ પણ આવી જાય છે. મોક્ષપ્રાપ્તિ માટે ધ્યાન અત્યંત મહત્ત્વનું છે. તે ચાર પ્રકારનું છે: આર્તધ્યાન-દુઃખ, વ્યથા અને પીડા ઉપજાવતું પૂર્વ સંબંધોનું ચિંતન. તપશ્ચર્યાના વ્રતમાં જેઓ અંશત: કેળવાયેલાં છે તેવાં વિકૃત મનનું ધ્યાન આ પ્રકારનું હોય છે. (૨) રૌદ્ર ધ્યાન – જે સાધુએનું મન કષાય, ક્રોધ, હિંસા, મિથ્યા સિદ્ધાંતનાં પ્રતિપાદન, પરનિદા અને વિષપભેગમાંથી મુક્ત નથી તેમનું ધ્યાન આ પ્રકારનું હોય છે. (૩) ધર્મધ્યાન-કર્મને નાશ કરે એવાં સાધનને, તેમજ સાંસારિક દુઃખમાંથી મુક્ત થવાનો વિચાર અને ધ્યાન (૪) શુકલધ્યાન–કોષ્ઠ પ્રકારનું ધ્યાન છે. બધા જ અમંગળ વિચારો અને અશુભ ઇચ્છાઓ દૂર થાય છે. જીવને દૂષિત કરતા કષાયોનો ક્ષય થાય છે. આ પ્રકારનું શુદ્ધ ધ્યાન કરવાથી જીવને મોક્ષ મળે છે. શુકલ ધ્યાનના ચાર પ્રકાર છે. છેલ્લા પ્રકારમાં સર્વજ્ઞ સ્થૂળ શારીરિક પ્રવૃત્તિઓમાં પોતાને સ્થાપિત કર્યા પછી વચન અને કર્મની પ્રવૃત્તિઓને સૂક્ષ્મ કરે છે. પછી શારીરિક પ્રવૃત્તિને ત્યાગ કરી તે વચન અને મનની પ્રવૃત્તિ પર એકાગ્ર થઈ, સ્થૂળ દેહપ્રવૃત્તિને સૂમ બનાવે છે. તે પછી જે.–૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy