SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ જીવને અને દેહને એકરૂપ માને છે, અને સમાજમાં પ્રવર્તતી મિથ્યા માન્યતાને દૂર કરી શકતા નથી. સામાન્ય મન ત્રણ પ્રકારના અંધવિશ્વાસથી ભ્રાંત થયું હોય છે; બેટા, દેવામાં શ્રદ્ધા (હેવમૂઢતા), સ્થાનની પવિત્રતા વિષે મિથ્યા દર્શન (ત્રોવમૂઢતા) અને શંકાસ્પદ સાધુએમાં મિથ્યા માન્યતા (વાવમૂઢતા). પ્રથમ પ્રકારના અંધવિશ્વાસમાં એવું માનવામાં આવે છે કે વિનાશક અને આવેગપૂર્ણ શકિતઓ ધરાવતાં દેવદેવીઓ તેમનાં ભકતોની ઇચ્છા પૂર્ણ કરી, તેમના પર કૃપા કરે છે. બીજા પ્રકારની અંધશ્રદ્ધા ધરાવતા લોકો કેટલીક નદીઓમાં સ્નાન કરે છે, પર્વતના શિખર પરથી કૂદી પડે છે અને અગ્નિમાં પ્રવેશે છે. આ બધું તેઓ પોતાને કે પોતાના સગાંસંબંધીઓને પુણ્ય મળે તે માટે કરે છે. ત્રીજા પ્રકારની અંધશ્રદ્ધા ધરાવતા લોકો ખોટા સાધુઓને પૂજે છે, તેમનું સન્માન કરે છે અને એવી આશા રાખે છે કે તેઓ કાંઈક કૃપા કરશે, કારણ કે તેમની પાસે જાદુઈ કે ભેદી શક્તિ છે. જો કે સાધુઓ અંગત સ્વાર્થ અથવા પ્રદર્શન માટે આ શકિતઓ બતાવતા હોય છે. આવા અંધવિશ્વાસથી મન મુક્ત રહેવું જોઈએ. કારણ કે અંધશ્રદ્ધા કે સંશયથી મુકત મનમાં જ સમ્યક્ દર્શનનો ઉદય અને વિકાસ થઈ શકે. ત્રણ પ્રકારનાં મૂઢત્વ ઉપરાંત, આઠ પ્રકારનાં માન હોય છે. (૧) કુળનું અભિમાન (ગુમર) (૨) કૌટુંબિક સંબંધોનું અભિમાન (જ્ઞાતિમર) (૩) પોતાના બળનું અભિમાન (વર) (૪) સૌન્દર્યનું અભિમાન (શૌર્યમ) (૫) જ્ઞાનને મદ (જ્ઞાનમર) (૬) ધનને મદ (ઘરન) (૭) ઐશ્વર્યને મદ (માસામવ) (૮) તપને મદ (તા:મત). આમને એક, એકથી વધુ કે બધા મદ માનસિક સમતુલા ઉથલાવે તેવા, તેમ જ મનુષ્યો કે વસ્તુઓ માટે રુચિ–અરુચિ પેદા કરે એવા હોય છે. આવો મદ હોય તે મનુષ્ય નિષ્પક્ષપાત ન હોઈ શકે. આવા મદ સાથેનું જ્ઞાન વિકૃત નહીં તે દોષયુક્ત તો હોય જ. આમાંના કોઈ પણ કારણસર પિતાને માટે વધારે પડતો ઊંચો ખ્યાલ દૃષ્ટિમાં અવરોધ ઉત્પન્ન કરવા સમર્થ છે. સમ્યક દર્શનનો ઉદય થતાં પહેલાં અભિમાનનાં આ તો દૂર થવાં જ જોઈએ. સમ્યક દર્શનનાં આઠ અંગે હેય છે અને તેમને આધારે જ તેની કોષ્ઠતા પુરવાર થાય છે. (૧) ધર્મના સિદ્ધાંતનાં સત્ય તેમજ પ્રામાણિકતા વિષે સંશય ન હોવો જોઈએ. (નિઃશતા) (૨) બધું ક્ષણિક હેવાથી સાંસારિક સુખે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy