SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૭ દ્રવ્યાસૂવ અથવા દ્રવ્યપ્રવાહના સીધાં કારણરૂપ હોય છે અને આ પ્રક્રિયા અફર હોય છે. જે શૈતન્યમય મન:સ્થિતિ કર્મને જીવ સાથે બાંધે છે તેને મરવવંધ કહે છે જ્યારે કર્મપ્રદેશ અને જીવ એકબીજાને ભેદે તેને દ્રવ્યવંધ કહે છે. ઉપર દર્શાવેલાં રાગદૂષ જેવાં કારણોથી જીવ ઉત્તેજિત થયો હોય. તે વખતે એક ચૈતન્યમય મન:સ્થિતિ કર્મને જીવ સાથે બાંધે છે. બંધના બે પ્રકાર છે: માવવંદ અને વંઘ. ભાવબંધ એટલે ઉશ્કેરાટ, કષાય, મિથ્યા દર્શન વગેરેને કારણે ઉત્પન્ન થતી મનની પ્રવૃત્તિઓ સાથે જીવનું મળવું. વર્ધમાનપુરાણમાં એવું કહેવામાં આવ્યું છે કે રાગદ્રષ જેવા તન્યનાં રૂપાંતરો, જેને કારણે કર્મ જીવ સાથે બંધાયું છે. તેને ભાવબંધ કહે છે. કર્મદ્રવ્યના અરસપરસ ભેદાએલા અણુઓ અને જીવના સંયોગથી ઉત્પન્ન થતો બંધ તે દ્રવ્યબંધ. બંધ એટલે ઘણા પ્રદેશોમાં રહેલાં દ્રવ્યનું જીવ દ્વારા થનું આત્મીકરણ. જીવની પ્રવૃત્તિમાં જુદાં જુદાં આંદોલન થતાં હોવાથી કર્મના અણુઓ પ્રવેશ કરે છે અને જીવના પ્રદેશ સાથે રહે છે. તેઓ પ્રતિપળે પ્રત્યેક જીવ પાસે અગણિત સંખ્યામાં આવે છે. ઉમાસ્વામી પહેલાં કહે છે કે મિથ્યાવાદ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ, બંધનનાં કારણે છે. કષાયમાં પ્રવૃત્ત થએલો જીવ, કર્મમાં પરિવર્તિત થવા યોગ્ય દ્રવ્યનાં આણુઓને આકર્ષે છે, ત્યારે બંધને ઉદ્ભવ થાય છે. આ શ્લોક ઉપર ટીકા કરતાં પૂજ્યપાદ કહે છે: “જેવી રીતે જઠરાગ્નિ પિતાને અનુકૂળ આહારને સમાવી લે છે તેવી રીતે જીવ, કષાયોના મૃદુ ઉગ્ર કે સામાન્ય સ્વભાવને અનુરૂપ કર્મના સમય અને ફળને આકર્ષે છે.”. મિથ્યાવાદ વગેરેની શકિતને કારણે જીવ પ્રત્યેક સ્થિતિમાં સતત પ્રવૃત્તિશીલ રહેતા જીવે રોકેલા આકાશ પ્રદેશોને આવરી લેતા સૂક્ષ્મ દ્રવ્યના અસંખ્ય આકાશપ્રદેશોને આકર્ષે છે. દ્રવ્યને તે કર્મદ્રવ્યમાં રૂપાંતરિત કરે છે અને જીવના આકાશપ્રદેશોને ભેદીને તેની સાથે સંયોજાય છે. આ બંધ છે. જવ, પુષ્પ, ફળ વગેરેના રસને એક પાત્રમાં મિશ્ર કરવાથી માદક આસવ તૈયાર થાય છે તેવી રીતે જીવ જેટલા જ વ્યાપક દ્રવ્યનું, કમંદ્રવ્યમાં, યોગ અને કષાયોને કારણે રૂપાંતર થાય છે. પ્રકૃતિ (સ્વભાવ), fથતિ (સમયમર્યાદા), અનુમાન (ગહનતા) અને (આકાશપ્રદેશોનું દળ) અનુસાર કર્મના બંધ ચાર પ્રકારના હોય છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય વગેરે આઠ પ્રકારનાં કર્મોને નિર્દેશ થઈ ગયો છે. આ કર્મો જીવના ચાર ગુણોને અસ્પષ્ટ કરી દે છે તે પણ કહેવાયું છે. આ કર્મો જ વિદને વગેરે ઉત્પન્ન કરી, જીવનની ચાર પ્રકારની સ્થિતિ સર્જે છે, તેથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy