SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૯ (કર્મસિદ્ધાંત ચાલુ) સાત ત અમેરિકન કવિ વૅલ્ટ વ્હીટમેન, પિતાનાં “Starting from Paumanok' નામનાં કાવ્યમાં લખે છે : “કોઈ મને આત્માને જોવાનું કહેતું હતું? તમારો પિતાને આકાર અને ચહેરો જુઓ. બીજા લોકોને, પદાર્થોને, પશુઓને જુએ. વૃક્ષને, વહેતી નદીને, ખડકોને અને રેતીને જુઓ.” જેને કારણે જીવો વિવિધ ગતિમાં જન્મ લે છે, તે કર્મના સિદ્ધાંતમાં તેઓ માનતા લાગે છે. બીજા ઘણા ધમની જેમ, કર્મનો સિદ્ધાંત જૈન ધર્મના પાયાના સિદ્ધાંત છે. પણ આપણા મૂળ સ્ત્રોતો અને તેમનું જ્ઞાન બધાને સમાવેશ કરવામાં આવે તો કહી શકાય કે જૈન ધર્મે કર્મના ભૌતિક સ્વરૂપનો વિચાર જેટલો ભારપૂર્વક કર્યો છે, એટલો બીજો કોઈએ કર્યો નથી. આ સિદ્ધાંતનો વિકાસ, સૂક્ષ્મતાભરી વિગત સાથે, કાળજીપૂર્વકનાં વર્ગીકરણ સાથે અને યથાર્થ વિધાન સાથે કરવામાં આવ્યો છે. આ વિચાર અત્યંત વાસ્તવદર્શી છે અને અત્યંત વ્યવસ્થિત તેમજ આધુનિક વિચારસરણીને અનુરૂપ છે. જોકતસારમાં સંક્ષિપ્ત, અને ઘવા, અને નાઘવઝા પરની વિસ્તૃત ટીકાઓમાં આ વિગતે જોઈ શકાય છે. જૈન તત્ત્વવિદ્યા પ્રમાણે વિશ્વ શાશ્વત, અસુષ્ટ અને સ્વતંત્ર એવા બે વર્ગો – જીવ અને અજીવમાં વહેંચાયું છે તે આપણે જોઈ ગયા છીએ. જીવ અને અજીવને સાંકળતી કડી તે કર્મ. જીવનાં લક્ષણો અને તેને સૂક્ષ્મ દ્રવ્ય વળગેલું રહે છે તે આપણે જોઈ ગયા. કર્મનાં સ્વરૂપ અને પ્રકારે આગલાં પ્રકરણને વિષય હતો. સાત તો ઉમાસ્વામીએ સમ્યક દર્શનની વ્યાખ્યા આ પ્રમાણે આપી છે : “તત્ત્વોનાં સાચાં સ્વરૂપમાં દઢ માન્યતા”. આંતરિક વલણ અને જ્ઞાનની પ્રાપ્તિ દ્વારા સમ્યક દર્શનને ઉદય થાય છે. (૧) નીવ (૨) નીવ (૩) સાસ્ત્રવ (૪) વંઘ (૫) સંવર (૬) નિર્નર અને (૭) મોક્ષ આ સાત તો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy