SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૧ અસરને પણ સ્પષ્ટ કરશે. કુંદકુંદનું વિધાન છે કે વ્યવહાર નય પ્રમાણે વેશ્યાઓ, જીવ આધ્યાત્મિકતાની કક્ષાએ પહોંચે ત્યાં સુધી જીવમાં પ્રવેશે છે. જે જીવો સંસારચક્રમાંથી મુક્ત થયા હોય છે તેઓ લેશ્યાથી મુકત હોય છે. વિવિધ પ્રકારનાં ધ્યાન ધરવામાં આ સિદ્ધાંત કેટલો મહત્ત્વનું છે તે જિનભદ્ર નોંધ્યું છે. યોગ પરના બીજા ચિંતકોની જેમ, તે પણ ચાર પ્રકારનાં ધ્યાન છે એવું કહે છે; કાર્ત, રૌદ્ર, ઘર્વે અને . આ ચારમાંથી દરેક પ્રકારનું ધ્યાન ધરતી વ્યકિતના નૈતિક અને આધ્યાત્મિક ગુણો કેવા હોય, તે તેમણે પોતાની ચર્ચામાં જણાવ્યું છે. ધ્યાન ધરવા ઇચ્છતી વ્યકિતએ મનને એક વિષય પર એકાગ્ર કરીને તેને ચિત્તને વિક્ષુબ્ધ કરે તેવા બધા વિષયમાંથી પાછું ખેંચવાનું છે. એકાગ્રતા માનસિક પ્રક્રિયા છે. તેને વિક્ષુબ્ધ કરે તેવી બધી પ્રવૃત્તિઓને દૂર કરવાની છે. ઘણા લોકોનાં મન સાંસારિક દુ:ખથી ભરેલાં હોય છે. કેટલાકનાં ઉદ્દેશો અને વૃત્તિઓ દુષ્ટ, વેરીલાં અને નુકસાનકારક હોય છે. આવા મનુષ્યોની વેશ્યા કૃષ્ણ, નીલ, કે કાપત હશે. માત્ર તેમની તીવ્રતામાં ફેર હશે. તેમની પ્રવૃત્તિઓ ભ્રમ, આસકિત, માત્સર્ય અને વિકૃતિથી ભરપૂર હશે. રૌદ્ર ધ્યાનમાં મગ્ન વ્યકિતની વેશ્યાઓ વત્તેઓછે અંશે અધિકતાદર્શક હશે. છેલ્લા બે પ્રકારનાં ધ્યાનમાં મગ્ન વ્યક્તિના વિચારો શુભ હશે અને ક્રમશઃ આધ્યાત્મિક માર્ગે આગળ વધતાં તેમનાં મન આત્મસાક્ષાત્કાર કે જીવના સાચા સ્વરૂપનાં જ્ઞાન સુધી પહોંચશે. શુકલ ધ્યાનમાં મનની સ્થિરતા, ભમનો અભાવ, વિવેક, દેહ તેમજ સાંસારિક વિષય પ્રત્યે અનાસકિત હોય છે. સ્વાભાવિક રીતે જ આ કક્ષાએ પહોંચેલી વ્યક્તિની લેણ્યા શુકલ હશે. મેખલી ગોશાલના સિદ્ધાંતને અનુસરતા આજીવક પણ કર્મસિદ્ધાંત અને લેશ્યાના સિદ્ધાંતને માન્ય રાખે છે આ સિદ્ધાંતનું અર્થઘટન ગોશાલકે વિશિષ્ટ રીતે કર્યું. તેના મત પ્રમાણે બૌધ્ધો અથવા બૌધ્ધ ભિક્ષુઓ નીલ ગ્લેશ્યા ધરાવતા હતા. કારણ કે તેમનામાંના કેટલાકને સગવડભર્યું જીવન જોઈતું હતું અને તેથી તેઓ સુખને આદેશ આપતા હતા. નિઝ્મથેની વેશ્યા રાતી માનવામાં આવતી હતી કારણ કે તેમણે સગવડોને ત્યાગ કર્યો હતે. પણ તેમને આજીવકો કરતાં ઉતરતી શ્રેણીના માનવામાં આવ્યા હતા, કારણ કે તેઓ અધોવસ્ત્ર ધારણ કરતા હતા. તેણે પોતાના સામાન્ય અનુયાયીઓને પીત વેશ્યાના, જ્યારે પોતાના દઢ અનુયાયીઓને શ્વેત વેશ્યા ધરાવતા માન્યા. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy