SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ થાતિકમ આ કર્મોનું કારણ શું છે તે જાણવું જરૂરી છે, જેથી આવા કર્મોના સંગ્રહને વ્યકિત રોકી શકે અને તેમાંથી મુકત થવા પ્રયત્નશીલ રહી શકે. ઉમાસ્વામીએ જ્ઞાનાવરણીય કર્મની ચર્ચા પહેલી કરી છે તેથી હું પણ એની ચર્ચા પહેલી કરીશ. જ્ઞાનાવરણીય કર્મ જ્ઞાનની નિંદા, અથવા જ્ઞાન માટેને ધિક્કાર, બીજાથી જ્ઞાનને છુપાવવું, ઈષ્યને કારણે જ્ઞાનને અપમાનિત કરવું અથવા પ્રાપ્ત ન કરવું, બીજાં જ્ઞાન પ્રાપ્ત કરતાં હોય ત્યારે વિદન કે રુકાવટ ઉત્પન્ન કરવાં, સાચા જ્ઞાનની અવગણના કરવી, સાચા જ્ઞાનને તુચ્છ ગણવું–આ બધું કર્મપ્રવાહને ઉત્પન્ન કરે છે. અને એ કર્મપ્રવાહ જ્ઞાન અને દર્શનને અસ્પષ્ટ કરે છે. દર્શન જ્ઞાનની પહેલાં આવે છે તેથી આચાર્યું સૂત્રના અંતભાગમાં જ્ઞાન અને દર્શન બંને શબ્દો મૂકયા છે. જ્ઞાન પાંચ પ્રકારનું છે: મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યાયજ્ઞાન અને કેવલજ્ઞાન. મતિજ્ઞાન ઇન્દ્રિયો દ્વારા મેળવાય છે જ્યારે શ્રુતજ્ઞાન ધર્મગ્રંથના અધ્યયનથી, તેમનાં વાચન કે શ્રવણથી પ્રાપ્ત થઈ શકે છે. અવધિજ્ઞાન અતીન્દ્રિય જ્ઞાન છે, જેને કારણે જ્ઞાતા દૂર બનતા પ્રસંગોને બોધ કરી શકે છે. આ બનાવો ભૂત, ભવિષ્ય કે વર્તમાનકાળના હોઈ શકે. તેને clairvoyance પણ કહે છે. મન:પર્યાય જ્ઞાન એટલે Telepathic જ્ઞાન. કેવલ જ્ઞાન એટલે સર્વજ્ઞત્વ, જેની પ્રાપ્તિ માત્ર મુક્ત આત્માઓ જ કરી શકે. સૂત્રમાં નિર્દેશેલાં વિવિધ પ્રકારનાં કર્મો જીવના જ્ઞાનને વિદનરૂપ થઈ પડે કે તેને અસ્પષ્ટ બનાવે તેવા કર્મોના પ્રવાહને ઉત્પન્ન કરે છે. આચારના સ્વાભાવિક નિયમ કે માનસિક વૃત્તિઓનું તેઓ ઉલ્લંઘન કરે છે. સાચું જ્ઞાન વ્યક્તિને નમ્ર બનાવે છે. જ્ઞાન અનંત છે એવું જો સમજાય તો અહંકાર ઓછો થવો જોઈએ પણ કેટલાક લોકો એવું માને છે કે પોતે બધું જાણે છે. તેઓ બીજી પ્રતિષ્ઠિત વ્યકિતઓના જ્ઞાનની ઈર્ષ્યા કરે છે. અહીં જ્ઞાન એટલે સાચું જ્ઞાન, મોક્ષનો માર્ગ બતાવે તેવું જ્ઞાન. બીજાની નિંદા કરી, મિથ્યા અભિમાન ધરી કોઈએ પોતાના જ્ઞાનનું પ્રદર્શન કરવું જોઈએ નહીં. કેટલાક પોતાનું જ્ઞાન છુપાવે છે અને માત્સર્યને કારણે બીજાને શીખવવાની ના પાડે છે. કેટલાક આચાર્યો બીજાએ જે શીખવ્યું હોય, તે પ્રત્યે ઉદાસીન રહે છે અથવા તેની અવગણના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy