SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ હસ્તપ્રતવિદ્યા અને આગ સાહિત્ય: સંશોધન અને સંપાદન આગમ-ગ્રંથોની સાથે સાથે ઘણી વાર તે ગ્રંથોની નિર્યુક્તિઓ પર પણ ટીકા રચી છે, તથા આગમગ્રંથ સાથે સાથે તેમને વાણી પણ લીધી છે. ' વિવેચન ૧. આજે આદર્શ રૂપે પ્રકાશિત થયેલા જૈન આગમગ્રંથોની પાટિપ્પણીઓમાં તે તે ગ્રંથોની ચૂર્ણિઓની અને ટીકાઓની જુદી જુદી વાચનાઓમાંથી લક્ષ્ય આગમ- ગ્રંથના અનેક પાઠાંતરો ઠેર ઠેર આપ્યા હોય છે, પરંતુ આ માટે નિયુક્તિઓનો પણ શક્ય ત્યાં ઉપયોગ થઈ શકે. જો કે નિર્યુક્તિઓના પાઠો છંદ-બદ્ધ થવાના કારણે (metri causa) મૂળ કરતાં કાંઈક જુદા થઈ જાય છે, તેથી નિયુકિતઓના જવલ્લે જ મળી રહેતા પાકોમાં પૂરો વિવેક કરવાની જરૂર રહે છે. છતાં પણ અકસ્માત જવલ્લે મળી આવતા પાઠ નોધી શકાય; જેમ કે આચારસૂત્ર ૧૦૬માં સ્વીકૃત-પાઠ : સુત્તા મુળ, મુનિને યા, પણ તે પરના ટિપ્પણ ૧ માં : પાઠાંતર : ... સી મુ . સાથે સરખાવી આચાર- નિર્યુક્તિ ૨૧૨ (પૃ. ૧૦૧) : સુન્ની મુળિો , સવા મુorળો...... શ્બ્રીંગનો પાઠ (પૃ.૧૩, પંક્તિ ૮) : સુત્તા મુળ મુળિો સાથે ....... અહીં શૂબ્રીંગનો સથવું પાઠ શીલાંકની ટીકામાંથી (પૃ. ૧૦૧, પૃ. ૩૨૧ માં તે લીધો નથી, પણ સ્પષ્ટ થાય છે! હસ્તપ્રતોના આધારે ચૂર્ણિઓ (અને નિર્યુક્તિઓ) પ્રકાશિત થતાં તેમાંથી પણ અનેક જરૂરી પાઠાંતરો મળી આવવાની ઘણી સંભાવના છે. અહીં અને હવે પછી આચાર - જૈન આગમ ગ્રંથમાલા’ના (૨.૧), ૧૯૭૭ના પ્રકાશનનું કાંઈ વિવેચન કરવામાં આવશે. ૨. આજે કઈ આદર્શ હસ્તપ્રતના આધારે ગ્રંથપ્રકાશન થયું છે તે ઘણાં આધુનિક પ્રકાશનોમાં સ્પષ્ટ હોતું નથી. વળી, ગ્રંથના શ્રુતસ્કંધ, અધ્યયન, શતક, વગેરે જેવા વિભાગો તો કોઈવાર તેમના ઉદેશ, વર્ગ વગેરે જેવા પેટા વિભાગો, તથા તે સર્વેનાં નામાભિધાન, તેમના અંતે આવતી ઇતિ-શ્રી (Colophons), વગેરે - ઉપરાંત સૂત્રોના કે પેટાવિભાગોના ક્રમાંક ઇત્યાદિ કઈ હસ્તપ્રતમાં છે અને ક્યાં નથી તે બધું દર્શાવવું અગત્યનું છે. (જેમકે, લગભગ બધી હસ્તપ્રતો આચારના ઉદ્દેશોના ક્રમાંક દર્શાવતી નથી, તેમ જ લગભગ કેટલીય હસ્તપ્રતો તે ઉદ્દેશોના અંતે આવતી ઇતિશ્રી દર્શાવતી નથી !) પોથી પ્રકાશની ઘણી બાબતે જેમ અસ્પષ્ટ રહે છે તેમ આધુનિક ગ્રંથ પ્રકાશનોમાં અસ્પષ્ટતા ન રહેવી ઘટે. દા.ત. આચારની કેટલીક હસ્તપ્રતોમાં (ાં, , નૈ, તા - ૧; જુઓ આચાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005251
Book TitleHastprat Vidya ane Agam Sahitya
Original Sutra AuthorN/A
AuthorNiranjana Vora
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year2001
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy