SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨. ઉપદેશ અને આચરણ ] [ ૪૯ થતું. ખંડન કે મંડન કરે તે તે ચર્ચામાં આનંદ આવે, પણ તેઓ તો મૌન જ સેવતા. ગિરનારજી પર જૂન માસથી જ વર્ષાદનાં ઝાપટાં પડવાં શરૂ થાય છે. જે જગ્યામાં હું રહેતે હતો તે જગ્યાના બે સાધુઓ એક દિવસે જૂનાગઢ કઈ વસ્તુઓ ખરીદવા ગયા હતા અને પાછા ફરતાં રાત પડી ગઈ. ઉપરકેટ આપણાં જૈન મંદિર નજીક પહોંચતાં વરસાદ તૂટી પડ્યો અને મેલડી રાતે પલળતા તેઓ આવ્યા. બીજે દિવસે અમે સૌ નીચે ઊતરવાના હતા. મેં પલળી ગયેલા સાધુઓને કહ્યું : “આમ ભીંજાતા ભીંજાતા આવવાને બદલે તમારે રાત અમારી (જેની) ધર્મશાળામાં જ રહી જવું હતું ને!” બંને સાધુઓની પાસે જ વશરામગિરિજી ઊભા હતા અને મારી વાત સાંભળી મનમાં જ હસતા હોય એવું મને લાગ્યું. પછી મારી તરફ જોઈને બેલ્યા: “મનસુખભાઈ ! અમારી ધર્મશાળાઓમાં કોઈ પણ જ્ઞાતિ કે કોઈ પણ ધર્મના લોકો આવીને રહી શકે છે. પથ્થરચેટીની જગ્યામાં જુઓને તમારા પરમાનંદદાસભાઈ (પ્રબુધ્ધ જીવનના તંત્રી શ્રી પરમાનંદદાસ કાપડિયા પણ તેમના કુટુંબ સાથે એ વખતે થોડા દિવસ માટે ગિરનારજી રહેવા આવ્યા હતા) પણ રહી ગયા. પણ જૈન ધર્મ તે બધા ધર્મો કરતાં મેટે એટલે તમારી (જૈન) ધર્મશાળાઓમાં તે અમારા જેવા અન્ય ધમીને ક્યાંથી આશરો મળી શકે? તમે તે જૈનધમી અને અમે તે અન્ય ધમ?” વશરામગિરીની વાત સાંભળી હું શરમાઈને નીચું જોઈ ગયે, એટલે જનધર્મ વિષે તેની સાથે કરેલી મોટી મોટી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005249
Book TitleJanyu ane Joyu
Original Sutra AuthorN/A
AuthorMansukhlal T Mehta
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy