SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૪. સહશિક્ષણ ] [ ૧૭ ન આવવું એવી મને વૃત્તિથી રહે છે–તે જ ઈશ્વરની કૃપાથી બચી શકે છે. હું પિતે પણ આવા વિચારોમાં માનું છું એટલે મારી પુત્રી સિદ્ધાર્થ કોલેજમાં દાખલ થઈ તે ન ગમ્યું. આ પુત્રીની માતા તેમ જ પિતાની બંને જવાબદારી મારા શિર પર હતી પણ તેમ છતાં હક્ક, સત્તા કે અધિકારને ઉપગ કરી સિદ્ધાર્થ કેલેજના બદલે એસ. એન. ડી. ટી. (માત્ર સ્ત્રીઓના માટેની કોલેજ) માં દાખલ કરાવવાનું મને ઉચિત ન લાગ્યું. તેમ છતાં મારા દિલમાં એક પ્રકારને ઉચાટ અને ઉકળાટ ચાલુ જ રહ્યો. મારૂં વલણ ગેરવાજબી અગર બેટું હોય એમ પણ બની શકે, એટલે આ સંબંધમાં મારા નિકટના સંબંધી અને હિતેચ્છ પંડિત બેચરદાસ દેશી જેઓ છેલ્લાં ૨૫ વરસથી અમદાવાદની એલ. ડી. આર્ટસ કોલેજના અધ્યાપક છે, તેઓને મારી મૂંઝવણ જણાવી મને માર્ગદર્શન આપવા વિનંતી કરી. એ પછી, પંડિતજીએ મારી પુત્રીને પત્ર લખી માર્ગદર્શન આપ્યું અને પરિણામે સિદ્ધાર્થ કૉલેજ છોડી તે પિોતે રાજીખુશીથી એસ. એન. ડી. ટી. કોલેજમાં દાખલ થઈ અને એમ. એ. સુધીનો અભ્યાસ કર્યો. ઘણાં માબાપો પિતાની છેકરીઓને આગળ અભ્યાસ કરાવવામાં મારી જેમ મૂંઝવણ અનુભવતાં હશે એમ માની, પંડિતજીના પત્રમાં લખેલી સૂચનાઓ તેઓને ઉપયોગી થઈ પડશે એ દષ્ટિએ આ પત્ર અક્ષરશઃ નીચે આપવામાં આવ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005249
Book TitleJanyu ane Joyu
Original Sutra AuthorN/A
AuthorMansukhlal T Mehta
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy