SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાકથન જાણ્યું અને જોયું” એ સૂચક નામ જે આ પરસ્પર અસંકલિત–વિરલિત લેખોના સંગ્રહરૂપ પુસ્તકનો વસ્તુનિર્દેશ કરી જાય છે. લેખકે જીવનમાં જોયું અને જાણ્યું તે અત્ર આલેખ્યું છે, એમ અત્ર અનુભૂત પ્રસંગોનું આલેખન છે. પોતાના અંગત જીવનમાં કેટલાક પ્રસંગમાં તેમજ કેટલાક સામાન્ય સામાજિક-ધાર્મિક પ્રસંગોમાં પિતાને જે દૃષ્ટિગોચર થયું અને તે પરથી જે વિચારફુરણું પોતાને થઈ તેનું તાદ્રશ્ય શબ્દચિત્ર લેખકે અત્ર આલેખ્યું છે. મનુષ્યમાં જ નિરીક્ષણ શક્તિ (observation power) અને સમીક્ષણ શક્તિ (Thinking power) હોય તો સાવ સામાન્ય (Common place) દેખાતા પ્રસંગોમાંથી પણ સુવિચારણાના ફલરૂપ બેધ તારવી શકે છે. આ નિરીક્ષણ શકિત અને સમીક્ષણ શક્તિ લેખકમાં વિપુલ પ્રમાણમાં દગગોચર થાય છે, તેને લઈને જ અત્ર લેખકે સાવ સામાન્ય દેખાતા અંગત જીવનપ્રસંગો આદિ પરથી ફલિત થતો બોધ તારવવાનો શક્ય પ્રયત્ન કર્યો છે. પ્રાચીન કથાનકને અર્વાચીન સ્વાંગમાં ઉપન્યાસ કરવાની કળા જેમ શ્રી. મનસુખલાલભાઈ એ સાધી છે, તેમ સામાન્ય દૈનંદિન પ્રસંગો પરથી ફલિત થતે બોધ રજૂ કરવાની કળા પણ તેમણે હરતગત કરી છે, તે અભિનંદનને પાત્ર છે! તેમજ કેટલાક સામાજિક કે ધાર્મિક પ્રસંગોમાં અને તદંતર્ગત આનુષંગિક કથાનકના ઉલ્લેખોમાં પણ તેમની આ કળા તે તે પ્રસંગને બેધક અને રોચક બનાવે છેતે પણ પ્રશંસનીય છે. જો કે મહાન શ્રી હરિભદ્રસૂરિએ દર્શાવેલી યોગદષ્ટિ-જેનું સવિસ્તર દિગદર્શન આ પ્રાફિકથન લેખકે યોગદષ્ટિ સમુચ્ચય ગ્રંથ વિવેચનમાં કરાવ્યું છે, તે જગતમાં વિરલ દેખાતી અલૌકિક યોગદષ્ટિનું–અધ્યાત્મ દૃષ્ટિનું દર્શન અત્રે પ્રસ્તુત નથી; અત્ર તો જગતમાં વ્યાપકપણે પ્રવર્તી રહેલી ઓઘદૃષ્ટિનું દર્શન મુખ્યપણે વિવક્ષિત છે, કારણ કે અત્ર લૌકિક પ્રસંગોનું પ્રાયઃતદનુરૂપ લૌકિક - દૃષ્ટિથી બોધદર્શક અવલોકન કરાયું છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005249
Book TitleJanyu ane Joyu
Original Sutra AuthorN/A
AuthorMansukhlal T Mehta
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy