SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ ] [ જાણ્યું અને જોયું લાભની શક્યતા રહેલી છે તેમ મેટા નુકસાનની પણ શક્યતા રહેલી હોય છે. આ રીતે માનવને પ્રાપ્ત થયેલી આ અદ્ભુત વિચારશક્તિની બીજી બાજુ પણ છે. વૃત્તિઓનું શુદ્ધિકરણ કરવાને બદલે વૃત્તિઓને પિષી વાસનાતૃપ્તિના માર્ગે જે તે વળે, અને વિચાર શકિતને દુરૂપયોગ કરી અધમ પાપકૃત્ય કરતો થઈ જાય, તે મુકિતપદને બદલે સાતમી નરકને અધિકારી પણ તે બની જવા પામે છે. આ દ્રષ્ટિએ જોતાં, માણ સને પણ સંસ્કાર પામેલા પશુની ઉપમા આપી શકાય. નરક અને દેવયોનિ કરતાં માનવનિને શ્રેષ્ઠ માનવામાં આવી છે, પરંતુ તેમ છતાં નરક અને દેવેનાં જીવાત્માઓએ આયુષ્ય પૂર્ણ થતાં નરકમાં જ્યારે નથી જવું પડતું, ત્યારે માનવીને જીવન જીવતાં ન આવડે તો તેના પરિણામે અધમમાં અધમ ગતિ એટલે સાતમી નરકે પણ જવું પડે છે. સિંહ જેવા હિંસક પ્રાણીને પણ જ્યારે મૃત્યુ બાદ ચોથી ઉપરની નરકમાં નથી જવું પડતું, ત્યારે માણસને જીવાત્મા તેનાથી નીચેની ગતિમાં જવાની શકયતા ધરાવે છે, એ હકીકત માનવી તરીકે જીવવામાં કેટલું બધું સાવચેત રહેવું જરૂરી છે તેને નિર્દોષ કરે છે. માત્ર માનવનિ પ્રાપ્ત થવાથી જીવનમરણના ચકને અંત નથી આવી શકતો, કારણ કે એમ તો આપણે જીવાત્મા અનંતીવાર માનવજન્મ પ્રાપ્ત કરી ચૂકયો છે. જીવન-મરણના ચકમાંથી મુક્ત બનવા માટે તો માનવતા પ્રાપ્ત કરવાની રહે છે. તેથી જ ધર્મશાસ્ત્રોએ કહ્યું કે માગુરૂં હુ ટુટ્યરું માત્ર માનવનિ નહિ પણ મનુષ્યત્વ પામવાની બાબત જ દુર્લભ છે. આવી બાબતમાં સાધુઓ અને સંતોને સમાગમ તેમજ ઉચ્ચ કોટિનું સાહિત્ય બહુ મદદરૂપ બનતું જોઈ શકાય છે. (“જૈન શિક્ષણ સાહિત્ય પત્રિકા' જુલાઈ, ૧૯૭૦) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005249
Book TitleJanyu ane Joyu
Original Sutra AuthorN/A
AuthorMansukhlal T Mehta
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy