SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ·money can make a man happy yaich uail Hlolaat સુખી કરી શકે છે, એ માન્યતા દુનિયામાં મોટામાં મોટી ભ્રમણ જ છે. શ્રી. વીરજીબાપાના શબ્દોમાં કહું તો, ભજિયારાની વહેંચણીમાં (ભૌતિક દૃષ્ટિએ તેમને શું પ્રાપ્ત થયું એ વાત બાજુએ રાખી આધ્યાત્મિક દૃષ્ટિએ તેમને મોટામાં મેટે જે હિરસો પ્રાપ્ત થયો તે પિતાના શુભ આશીર્વાદ. શ્રી. વીરજીબાપાના સુપુત્રોને આ વાતની ખબર હશે કે કદાચ નહિ પણ હોય, પરંતુ આજે તેઓ જે રિદ્ધિસિદ્ધિ ભોગવી રહ્યા છે, તે તેમના પિતામહે તેમના પિતાને આપેલા. આવા શુભ આશીર્વાદના કારણે જ છે. કારણ વિના કેઈકાર્ય નિપજતું નથી. સંતાનો માટે માતા અને પિતા એ જીવન્ત તીર્થંકર રૂપ જ છે અને માતાપિતાની સેવા કરી તેમને સંતોષ આપનાર સંતાને આ જગતમાં કદી પણ દુઃખી થતાં જ નથી. મજ્યિારાની વહેંચણી બાદ થોડા થોડા સમયને આંતરે પ્રથમ શ્રી. જમકુમ અને પછી શ્રી. ગોપાલજીદાદા સ્વર્ગવાસ પામ્યા અને શ્રી. વીરજીબાપાએ બહુ નાના પાયા પર દેશી કાપડના વણાટકામનું કાર્ય શરૂ કર્યું. એક નાનકડી દુકાન ભાડે લઈ સંઘવી વીરજીભાઈ ગોપાલજીના નામે સ્વતંત્ર ધંધાની શરૂઆત કરી. શરૂઆતનાં વરસોમાં અનેક મુશ્કેલીઓ ભેગવવી પડી અને ગરીબાઈ પણ વેઠવી પડેલી. પંદર વરસો સુધી તેમણે ગીર (ઉના જુનાગઢની આસપાસના ગામડાઓ) ખેડી હતી અને એ વિભાગને ગામડાઓમાં ધંધા અર્થે તેમને અવારનવાર જવું પડતું. તેઓ એક ઉતમ કોટિના ઘડેસવાર હતા. એ જમાનામાં મુસાફરી માટે બસ કે એવાં અન્ય સાધનો ન હતાં. એ સમયે વેઠેલી ગરીબાઈનું તેમના એક પુત્રે ખ્યાન આપતાં મને કહેલું કે એક વખત હરિકેના ફાનસને પોટો ફૂટી ગયો અને તાત્કાલિક નવો પોટ લઈ આવવાની અશક્યતાના કારણે ઘરમાં આખી રાત સૌએ અંધારામાં જ વીતાવવી. પડી. હતી. શ્રેષ્ઠ માણસનું ઘડતર ધનની રેલમછેલ વચ્ચે નહીં પણ ગરીબાઈમાં જ થાય છે, એ વાત શ્રી. વીરજીબાપાના જીવન પરથી - સમજાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005249
Book TitleJanyu ane Joyu
Original Sutra AuthorN/A
AuthorMansukhlal T Mehta
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy