SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ ] [ જાણ્યું અને જોયુ તેના પર તેઓ પગ દઈ ને ચાલે છે કે નહિ તેનું છૂપી રીતે ધ્યાન રખાવ્યું. પ્રભાતે બહાર નીકળતાં હુંસ અને પરમહ ંસે ચાકથી ચિતરાયેલી પ્રતિમા જોઈ, અને તેના પર પગ દીધા સિવાય બહાર નીકળવાનું શકય ન હતું એટલે બંને મૂંઝાયા. અનેના હૃદયમાં અપૂર્વ જિનભક્તિ હતી અને બુદ્ધિનું તેજ પણ અલૌકિક હતું. હંસ અને પરમહંસે યુક્તિપૂર્વક ચાકના ઉપયાગ કરી પ્રતિમાના કંઠે ઉપર ત્રણ રેખા કરી જેથી જિનપ્રતિમા બુદ્ધ પ્રતિમામાં ફેરવાઈ ગઈ અને પછી તેના પર પગ મૂકી બહાર નીકળ્યા. વિદ્યાપીઠના કુલપતિએ આ જાણ્યું અને મને ભાઈ એ ભગવાન મહાવીરના ઉપાસક છે એમ ખાતરી થતાં ધમ ઝનૂની ખની ખનેને છૂપી રીતે મારી નાખવાનું કાવત્રુ રચ્યું. હુંસ અને પરમહંસને આ વાતની ખખર પડતાં તરતજ ત્યાંથી નાસી છૂટ્યા. બૌદ્ધ ધર્મના અનુયાયી રાજાનું લશ્કર તેઓની પાછળ પડયુ, તેથી હુંસે પેાતાના નાના ભાઈ પરમહંસને હરિભદ્રસૂરિ પાસે પહોંચાડવાની વ્યવસ્થા કરી. હુ'સ સહસયેાધી હતા અને લશ્કરની સામે અભિમન્યુ માફક ઝઝુમ્યા અને મૃત્યુ પામ્યા. પરમહંસ પણ મરતાલ હાલતમાં હરિભદ્રસૂરિ પાસે પહેાંચ્યા અને બૌદ્ધ વિદ્યાપીઠમાં બનેલી તમામ હકીકત જણાવી તરતજ મૃત્યુ પામ્યા. પણ આ બધી કિકત જાણતાં હરિભદ્રસૂરિજીના કાપનેા પાર ન રહ્યો. તેના ક્રાધાગ્નિ ભભૂકી ઊઠ્યો અને બૌદ્ધ ભિક્ષુએ પર તેઓએ કરેલા અત્યાચાર માટે વેર લેવાનેા દૃઢ નિશ્ચય કર્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005249
Book TitleJanyu ane Joyu
Original Sutra AuthorN/A
AuthorMansukhlal T Mehta
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy