SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯. વર્તમાન જૈન શ્રમણ સંઘની અવનતિ ] [ ૮૩ દશા સંકુચિત તેમજ સુપ્ત, મત્ત અને મૂછિત છે. આ સ્થિતિ દૂર કરવા માટે આપણે એગ્ય પ્રયત્ન કરવા જોઈએ. આજે આપણે ક્યાં ઘસડાઈ રહ્યા છીએ? જ્ઞાનાગાર અને ધર્માગાર તરીકેનાં આપણા ઉપાશ્રય, જેન મંદિર આદિ જેવાં ધર્માલય કેવાં કલેશના સ્થાન રૂપ બની રહ્યાં છે? આપણું વિદ્યાવિષયક અને ચારિત્ર વિષયક કેવી દરિદ્ર સ્થિતિ છે? આજે જૈન તરીકે ઓળખાતી પ્રજા જૈન ધર્મથી કેવી અને કેટલી વિમુખ થતી જાય છે એનાં કારણે અને ઉપાયે કયા?” ૧ સ્વ. ગનિષ્ઠ આચાર્યશ્રી બુદ્ધિસાગરજી મહારાજે પણ આજથી લગભગ પચાસ વરસે પર આ બાબત પર લખતાં જણાવ્યું છે કે : “સાધુઓને પૂર્વની પેઠે ભણાવવાની વ્યવસ્થા કરવામાં આવે તો સાધુઓનું જ્ઞાન વધે અને તેથી તેઓ ઉપદેશ દઈને લાખ કરોડો મનુષ્યનું કલ્યાણ કરી શકે. હાલમાં પ્રાચીન પઠન-વ્યવસ્થા કમ જોઈએ તે રહ્યો નથી. પૂર્વે ગૃહસ્થ ગૃહસ્થાવસ્થામાં સંસ્કૃત આદિ ભાષાના જાણકાર હતા, તેથી તેઓ સાધુ થતા ત્યારે હાલની પેઠે પંચ સંધિથી અભ્યાસ શરૂ કરાવો પડતો નહતો એમ પ્રાયઃ દેખાવમાં અનુભવવામાં આવે છે. પ્રાચીન અને અર્વાચીન એ બે જમાનાના અભ્યાસનું યોગ્ય એવું મિશ્રણ કરીને સાધુઓને અભ્યાસ કરાવવાની આવશ્યક્તા છે. જમાનાને ઓળખવો જોઈએ.” ૨ આપણા શ્રમણ સંઘમાં વર્તમાન કાળે પ્રવતી રહેલી પરિસ્થિતિનું અત્યંત કલુષિત અને દુઃખદ છતાં હકીકતની દ્રષ્ટિએ તદ્દન સાચું એવું ચિત્ર રજૂ કરતાં આપણા આચાર્ય શ્રી વિજય લક્ષ્મણસૂરીજીએ થોડા વખત પહેલાં કહ્યું હતું ૧. “જેન જ્યોતિ” શિક્ષણક-કારતક સં. ૧૯૯૦ ૨. “યોગનિષ્ઠ આચાર્ય” લેખક : જ્યભિખુ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005249
Book TitleJanyu ane Joyu
Original Sutra AuthorN/A
AuthorMansukhlal T Mehta
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy