SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ હેમચંદ્રાચાર્ય ઘેષણને ઉલ્લેખ કરી, કરુણાધમની કુમારપાલને સમજાયેલી મહત્તાની વાત વારંવાર કરી છે. હેમચંદ્રાચાર્યે જે કરુણાધમ કુમારપાલને કહ્યો, તે સાંપ્રદાયિક આચારથી પ્રેરાયેલે નહિ, પણ તાત્વિક દર્શનથી પ્રેરાયેલે કરુણાધમ હતું. અને * જુઓ સર્ગ–૧૬ : ૨; ૧૮ : ૫; ૧૯ : ૪; ૨૦ : ૧૪; ૨૦ : ૧૯; ૨૦ : ૧૧; ૨૦ : ૨૧; ૨૦ : ૨૭; ૨૦ : ૩૬. છેક છેવટને ૨૦ : ૩૬ લેક કુમારચૈત્ય અને કુમારપાલેશ્વર બનેને ઉલલેખ કરી રાજર્ષિ કુમારપાલને વધારે મહાન બનાવે છે. કુમારપાલ પણ આ સંબંધે ભોજરાજની પેઠે “પદર્શનપ્રબંધ” કરી રહ્યો હોય તો ના ન કહેવાય. છોગ્યઃ સૌનતો ઘર્મ ર્તા પુનરાત | वैदिको व्यवहर्तव्यो ध्यातव्यः परमः शिवः ।। જે વખતે કટકેશ્વરીને પશુધને ઉત્સવ આવે છે, તે વખતે “કુમારપાલકારિત–અમારિપ્રબન્ધ માં દર્શાવ્યા પ્રમાણે, હેમચંદ્રાચાર્ય યુક્તિથી સઘળાં પશુઓને મંદિરમાં રાત્રે રખાવે છે. તેમને સવારે સુરક્ષિત જોઈ તે દલીલ કરે છે કે દેવીને જે માંસ ખપતું હોત તો તે પશુને મારત. આ પ્રમાણે તાઃ પુનરાëતઃ કહીને તેણે વૈદિક ધર્મને વ્યવહાર પણ જાળવ્યો અને કરુણધર્મની શ્રેષ્ઠતા પણ સ્થાપી. એણે પણ જીવનમાં તો પદર્શન-સમુચ્ચય સાધ્યો હતો એમ કહેવું અયોગ્ય નથી. કુમારપાલનું ખરું બિરુદ પરમમાહેશ્વર, પરમહંત કુમારપાલ – એમ છે. એના જેવો જૈનધર્મદર્શનને સમજનાર – આટલા વૈભવ ને અપાર સંપત્તિ છતાં – બીજે કઈ થયો નથી; એના જેવો પરમમાહેશ્વર કુમાગત ધર્મને અનુયાયી પણ બીજે કઈ નથી. ધર્માત્મા “રાજર્ષિ કુમારપાલ એ બે ખરાં વિશેષણને તજી, પોતપિતાના સંપ્રદાયમાં “એ હત” – માત્ર “એ હતો” એમ સાબિત કરવાથી કોણ જાણે કે વિશેષ લાભ મળવાને હેાય – ઈતિહાસને, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005247
Book TitleHemchandracharya
Original Sutra AuthorN/A
AuthorDhoomketu
PublisherGurjar Prakashan Ahmedabad
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy