SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૧oo] ગણધરવાદ [ગણધરે અને તેથી જ તેનું કાર્ય પણ વિચિત્ર બને છે એમ માનવું જોઈએ. એટલે તેથી પરભવમાં એકાન્ત સદસ્ય જ નહિ, પણ પૈસાદસ્થને ય સંભવ માન જેઈએ. (૧૭૯૩) અથવા સુધર્મન ! વસ્તુનો સ્વભાવ જ એવો છે કે પ્રત્યેક ક્ષણમાં તેમાં કેટલાક સમાન અને કેટલાક અસમાન પર્યાયોનાં ઉત્પત્તિ અને વિનાશ થયા વસ્તુ સમાન અને જ કરે છે અને તેને દ્રવ્યાંશ તદવસ્થ–એકરૂપ રહે છે. આથી વસ્તુ અસમાન છે સ્વયં બીજી ક્ષણમાં તેવી જ રહેતી નથી; અર્થાત્ પૂર્વકાલમાં વસ્તુ જે રૂપે હોય છે તેથી વિલક્ષણ ઉત્તરકાલમાં બની જાય છે. આ પ્રકારે પિતાની જ સમાનતા નથી ટકતી ત્યાં બીજા પદાર્થો સાથેની સમાનતા તો કેવી રીતે ટકે? અને છતાં સંસારના સમસ્ત પદાર્થોથી તે સર્વથા અસમાન જ છે એમ પણ કહી શકાતું નથી, કારણ કે અસ્તિત્વાદિ કેટલાક સમાન ધર્મોને કારણે સંસારની સમસ્ત વસ્તુ સાથે તેનું સામ્ય છે, તે પછી પિતાની પૂર્વકાલિક અવસ્થા સાથે તે તે જ સમાન ધમેને કારણે સામ્ય હોવાનું જ, એમાં સંદેહ નથી. (૧૭૯૪-૯૫) સારાંશ એ છે કે આ ભવમાં પણ એવી કોઈ વસ્તુ નથી જે સર્વથા અસમાન જ હોય, તે પછી પરભવમાં પણ તેમ કેવી રીતે બને ? ખરી વાત એવી છે કે સંસારની બધી વસ્તુ સદશ પણ છે અને અસદશ પણ છે, નિત્ય પણ છે અને અનિત્ય પણ છે, ઈત્યાદિ અનેક વિરોધી ધર્મોથી યુક્ત છે. (૧૯૯૬) સમસ્ત વિશ્વના પદાર્થો સાથે સાદિ ધર્મોને કારણે સમાનતા હોવા છતાં જેમ યુવકને પિતાની ભૂતકાલીન બાલ્યાવસ્થા અને ભાવી વૃદ્ધાવસ્થાની સાથે સમાનતા નથી હતી, તેમ જીવની પણ અરિતવાદિ ધર્મોને કારણે સમસ્ત વસ્તુ સાથે સમાનતા છતાં પરભવમાં સર્વથા સમાનતા નથી હોતી, પણ સમાનતા અને અસમાનતા અને હોય છે. (૧૯૯૭) એક જીવ પ્રથમ મનુષ્ય હોય, પણ મરીને જ્યારે દેવ થાય છે ત્યારે સવાદિ ધર્મોને કારણે પોતાની પૂર્વાવસ્થા સાથે અને સમસ્ત વિશ્વ સાથે પણ તેની સમાનતા હેવા છતાં દેવત્વાદિ ધર્મો વડે કરીને તેની પૂર્વાવસ્થા સાથે અસમાનતા છે, તે જ પ્રકારે તે જ મનુષ્ય જીવરૂપે નિત્ય છે અને મનુષ્યાદિ પર્યાયરૂપે અનિત્ય છે. તેથી જેમ જીવ સમાન અને અસમાન ધર્મવાળો છે તેમ નિત્ય અને અનિત્ય પણ છે. આ જ પ્રકારે તેમાં અન્ય પણ અનેક વિરોધી ધર્મોની સિદ્ધિ થાય છે. આથી પરભવે જીવમાં સર્વથા સાદસ્થ માની શકાય નહિ. સુધર્મા–મારે મને પણ કારણ સાથે કાર્યનું સર્વથા સદશ્ય નથી. પણ હું જ્યારે એમ કહું છું કે “પુરુષ મરીને પુરુષ થાય છે ત્યારે માત્ર જાતિને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy