SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬) ગણધરવાદ [ગણધર મૃત્યુ બાદ મેંક્ષે જ જવા જોઈએ અને તેથી માત્ર થોડા ધર્માત્માઓ જ જેઓ અદષ્ટ માટે દાનાદિ ક્રિયા કરે છે, તેઓ સંસારમાં રહી જાય. પણ આપણે તે સંસારમાં અનન્ત છે અને તેમાં પણ અધર્માત્માઓ જ વધારે જોઈએ છીએ; તેથી માનવું જોઈએ કે બધી ક્રિયાનું દષ્ટ ઉપરાંત અદષ્ટ કર્મરૂપ ફળ પણ હોય જ છે. અગ્નિભૂતિ–દાનઆદિ ક્રિયાના કર્તાને ભલે ધર્મરૂપ અદષ્ટ ફળ મળે, કારણ કે તે તેવું ફળ ચાહે છે; પણ જે કૃષિઆદિ કિયા કરે છે તેઓ તો દષ્ટ ફળની જ ચાહના ધરાવે છે, તો તેમને પણ અદષ્ટ ફળ કર્મ શા માટે પ્રાપ્ત થાય ? ભગવાન–તારી આ શંકા અયોગ્ય છે, કારણ કે કાર્યને આધાર તેની સામગ્રી ઉપર છે. મનુષ્યની ઈચ્છા હોય કે ન હોય, પણ જે કાર્યની સામગ્રી અનિછા છતાં હોય તે કાર્ય ઉત્પન્ન થાય જ છે. વાવનાર ખેડૂત અજાણતાં અદષ્ટ ફળ પણ જે ઘઉંને બદલે કેદરા વાવે અને તેને અનુકૂળ હવા-પાણી મળે વગેરે સામગ્રી મળે તે ખેડૂતની ઈચ્છા હોય કે ન હોય છતાં કેદરા તો ઉત્પન થઈ જ જવાના. તે જ રીતે હિંસા આદિ કાર્યો કરનાર માંસભક્ષક ચાહે કે ન ચાહે, પણ અધર્મરૂપ અદષ્ટ કર્મ ઉત્પન્ન થાય જ છે. વળી દાનઆદિ કિયા કરનારા વિવેકી પુરૂષે જે કે તેના ફળની ઈચ્છા નથી કરતા, છતાં સામગ્રી હોવાથી તેમને ધર્મરૂપ ફળ પ્રાપ્ત થાય જ છે. (૧૬૨૦) માટે શુભ કે અશુભ બધી ક્રિયાનું અદષ્ટ એવું શુભ કે અશુભ ફળ હોય જ છે એમ માનવું જ જોઈએ. અન્યથા આ સંસારમાં અનન્ત સંસારી જીવોની સત્તા સંભવે જ નહિ, કારણ કે જો અદષ્ટ કર્મ ન હોય તે વિના પ્રયત્ન જ બધા પાપીઓ મુક્ત થઈ જશે. શાથી જે, મૃત્યુ પછી સંસા૨નું કારણ કર્મ તેમણે ચાહેલું ન હોવાથી હશે જ નહિ; પણ જે લોકો અદષ્ટ શુભ કમ માટે દાનઆદિ ક્રિયા કરતા હશે તેમને માટે જ આ કલેશબહલ સંસાર શેષ રહી જશે. તે આ રીતે –જેમણે દાનાદિ શુભ ક્રિયા અદષ્ટ માટે કરી હોય તેમને કર્મબંધ પ્રાપ્ત થાય છે. તેઓ તે ભોગવવા નવો જન્મ ધારણ કરે છે અને ત્યાં પાછા તે કર્મના વિપાકનો અનુભવ કરતા ફરી દાન આદિ ક્રિયા કરે છે અને પાછા નવા જન્મની સામગ્રી તૈયાર કરે છે, એટલે તારા મતે આવા ધાર્મિક લેકે માટે જ સંસાર હવે જોઈએ, અધાર્મિક માટે તો મોક્ષ જ નિર્માએ છે, આવી અસંગતિ ઊભી થશે. અગ્નિભૂતિ–એમાં અસંગત શું છે? અદષ્ટ માટે ધાર્મિક લોકોએ પ્રયત્ન કર્યો તેથી તેમને મળ્યું અને તેમને સંસાર વધ્યો. હિંસા આદિ અશુભ ક્રિયા કરનારાઓએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy