SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ગણધરવાદ [ગણધર કહેવાય તે હું ત્રણ લોકનો ઈશ્વર પણ બની જાઉં, કારણ કે મારી ત્રિલોકેશ્વરતાનો નિષેધ કરાવે છે. પણ હું કાંઈ ત્રણ લેકને ઈશ્વર નથી તે તો આપ જાણે છે. એટલે જેને નિષેધ કરાય તે વસ્તુ હોવી જોઈએ, એ નિયમ અયુક્ત છે. વળી, આપના મત પ્રમાણે નિષેધ ઉક્ત ચાર પ્રકારનો હોવાથી–“પાંચમા પ્રકારને નિષેધ નથી” એમ કહેવાય; પણ આપે બતાવેલા ઉક્ત નિયમાનુસાર નિષેધનો પાંચમો પ્રકાર પણ હવે જોઈએ, કારણ કે આપ તેનો નિષેધ કરે છે. - ભગવાન-તું મારા કહેવાનું તાત્પર્ય બરાબર સમજ નથી, અન્યથા આવા પ્રશ્નો થાય જ નહિ. જયારે એમ કહેવાય છે કે “તું ત્રણ લોકો ઈશ્વર નથી ત્યારે પણ તારી ઈશ્વરતાનો સર્વથા નિષેધ અભિપ્રેત નથી, કારણ કે તું તારા શિષ્યોને ઈશ્વર તો છે જ પણ ત્રિલોકેશ્વરતારૂપ વિશેષ માત્રનો જ નિષેધ અભીષ્ટ છે. તે જ પ્રમાણે પ્રતિષેધ પાંચસંખ્યાથી વિશિષ્ટ નથી એટલું જ તાત્પર્ય પાંચમા પ્રકારના નિષેધમાં છે; પ્રતિષેધને સર્વથા અભાવ અભિપ્રેત છે જ નહિ. ઇન્દ્રભૂતિ–મને આપની આ બધી વાતે સાવ અસંબદ્ધ જ લાગે છે. આપ જેતા નથી કે મારું ત્રિલોકેશ્વરપણું મૂળમાં જ અસત્ અવિદ્યમાન છે, માટે અને જ નિષેધ કરાવે છે. તે જ પ્રમાણે પ્રતિષેધને પાંચ મ પ્રકાર પણ સર્વથા અસત છે, માટે જ તેને નિષેધ કરાવે છે. આ પ્રમાણે સંગ સમવાય સામાન્ય કે વિશેષ એ બધા પણ અસત જ છે, માટે ગૃહાદિમાં તેનો નિષેધ કરાય છે. આથી તો એમ જ સિદ્ધ થાય છે કે જે અસત્ છે તેનો નિષેધ થાય છે, તેથી જેને નિષેધ થાય છે તે વિદ્યમાન હોય જ છે” એવું આપનું કથન અયુક્ત છે. ભગવાન–મારા કથનને બરાબર સમજવાનો પ્રયત્ન કરીશ તે તને તે સયુક્તિક જણાશે. મેં એમ તો કહ્યું જ નથી કે જેને નિષેધ કરાય છે તે સર્વત્ર સર્વથા હોય છે. મારા કહેવાનું તાત્પર્ય તે એટલું જ છે કે જ્યાં જે વસ્તુનો નિષેધ કરાતો હોય તે ત્યાં ભલે ન હોય, છતાં તે અન્યત્ર તે વિદ્યમાન હોય જ છે; સર્વથા અસતનો જેમ કે દેવદત્તને સંગ ભલે તેના ઘરમાં ન હોય, પણ અન્યત્ર નિષેધ નથી રસ્તામાં અગર બીજાના ઘરમાં તો દેવદત્તનો સંગ વિદ્યમાન હોય જ છે. આ જ પ્રકારે સમવાય સામાન્ય અને વિશેષની બાબતમાં પણ એ નિશ્ચિત છે કે તેનો નિષેધ એકત્ર થતો હોય તો અન્યત્ર તે સિદ્ધ–વિદ્યમાન હોય જ છે. ઇન્દ્રભૂતિ–હું પણ આપની વાતને માનીને જ કહું કે શરીરમાં જીવ નથી, તે શું ખોટું? શરીરમાં અવિદ્યમાન એવા જીવને જ હું નિષેધ કરું છું; પણ આપ તે શરીરમાં પણ જીવને માને છે. તે બાબતમાં મને વાંધે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy