SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ઇન્દ્રભૂતિ] જીવના અસ્તિત્વ વિશે ચર્ચા [૧૫ છે, એટલે તેને પણ કોઈ સ્વામી હે જોઈએ. જે સ્વામી છે તે આત્મા છે. (૧૫૬૯) ઇન્દ્રભૂતિ–ઉક્ત હેતુઓથી શરીરનો કઈ કર્તા-ભોક્તા આદિ છે એટલું માત્ર સિદ્ધ થાય છે, પણ તે જીવ છે એ તો સિદ્ધ થતું નથી. તે પછી કર્તાદિ એ જીવ છે એમ શાથી કહે છે. - ભગવાન–ઈશ્વરાદિ બીજે કે શરીરનો કર્તા હતા કે સ્વામી તે યુક્તિથી વિરુદ્ધ છે, માટે જીવને જ તેને કર્તા, ભોક્તા અને સ્વામી માન જોઈએ. ઇન્દ્રભૂતિ–કર્તા, ભોક્તા અને સ્વામી-રૂપે જીવન સાધક જે હેતુઓ બતાવ્યા છે તે બધા સાધ્યથી વિરોધી વસ્તુના સાધક હોવાથી વિરુદ્ધ હેત્વાભાસો છે, કારણ કે તમારે ઉક્ત હેતુઓથી જે જીવને સિદ્ધ કરે છે તે તો નિત્ય, અમૂર્ત અને અસંઘાતરૂપે સિદ્ધ કરેલો અભિપ્રેત છે, પણ તેને બદલે ઉક્ત હેતુઓથી જે કર્તારૂપે જીવ સિદ્ધ થાય છે તે કુંભકારાદિની જેમ મૂર્ત, અનિત્ય અને સંઘાતરૂપ સિદ્ધ થાય છે. ભગવાન–ઉક્ત હેતુથી સંસારી આત્માની કર્તાદિરૂપે સિદ્ધિ અભિપ્રેત હોવાથી તે બતાવેલ દેષ નથી, કારણ કે સંસારી આત્મા આઠ કર્મોથી આવૃત આત્મા કથંચિત હોવાથી અને શરીર સહિત હોવાથી તે કથંચિત્ મૂર્તીદિરૂપ છે મૂર્ત છે જ. (૧૫eo) હે સૌમ્ય ! આત્માનું સાધક એક અન્ય અનુમાન આ પ્રમાણે છે.—તારામાં જીવ છે જ, કારણ કે તેને તે વિષયમાં સંશય છે. જે જે વિષયમાં સંશયના વિષય સંશય હોય છે તે તે વિષય વિદ્યમાન હોય છે; જેમ સ્થાણુ– હોવાથી જીવ છે. ઠંડું અને પુરૂષ એ વિષયમાં સંશય થાય છે તો તે બને વિધ માન હોય છે, કારણ કે જે અવસ્તુ હોય છે, સર્વથા અવિદ્યમાન હોય છે, તેના વિષયમાં કદી કઈને સંશય થતો જ નથી. - ઇન્દ્રભૂતિ–જે વિષયમાં સંશય હોય છે ત્યાં સંશયની વિષયભૂત બે વસ્તુમાંથી એક વિદ્યમાન હોય છે, જેમ કે સ્થાણુ-પુરુષવિષયક સંદેહ સ્થળમાં ઉક્ત બંનેમાંથી કોઈ એક જ વિદ્યમાન હોય છે, અને વિદ્યમાન નથી હોતા. તો પછી આપ એમ કેમ કહે છે કે સંશયને જે વિષય હોય છે તે વિદ્યમાન હોય જ છે? ભગવાન–હે ગૌતમ! મેં એમ તે નથી જ કહ્યું કે જ્યાં જે વિશે સંદેહ હોય તે ત્યાં જ હોય છે. મારું તો એટલું જ કહેવાનું છે કે સંશયની વિષયભૂત વસ્તુ ત્યાં કે અન્યત્ર ગમે ત્યાં, પણ વિદ્યમાન અવશ્ય હોય છે, એટલે જીવ વિશે તને સંદેહ છે, માટે જીવ અવશ્ય વિદ્યમાન માન જોઈએ. અન્યથા તે વિશે સંશય થાય જ નહિ; જેમ છઠ્ઠા ભૂત વિશે સંશય નથી થતો તેમ. (૧૫૭૧) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy