SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ગણધરવાદ [ગણધર સંશયકર્તા છું' એમ કહીને તે “હુને સ્વીકાર તે કર્યો જ છે અને હવે “હુનો ઈન્કાર કરે છે, તેથી તારી આ “હુ'ના નિધની વાત પોતાના પ્રથમના અભ્યપગમ -સ્વીકારથી જ બાધિત થઈ જાય છે; જેમ, સાંખ્ય આત્માને પ્રથમ અકર્તા નિત્ય ચૈતન્યરૂપ સ્વીકારીને પછી કહે કે તે કર્તા છે, અનિત્ય છે, અચેતન છે, તે તેને પક્ષ સ્વાશ્યપગમથી બાધિત થઈ જાય છે. અભણ લોકો પણ આત્માનું અસ્તિત્વ માને છે ત્યારે તું “આત્મા નથી' એમ કહે તે તારો એ પક્ષ લેકવિરૂદ્ધ જ કહેવાય; જેમ શશીને કેઈ અચન્દ્ર કહે, અને “હું આત્મા નથી' અર્થાત “હું હું નથી એમ કહેવું એ સ્વવચનવિરૂદ્ધ પણ છે, જેમ કેઈ કહે કે મારી માતા વધ્યા છે. આ પ્રમાણે તારો પક્ષ જ બરાબર નથી. એ પક્ષાભાસ છે તો “ભાવગ્રાહક પાંચે પ્રમાણની પ્રવૃત્તિ નથી” એ હેતુ પક્ષને ધર્મ તો બનશે નહિ; એથી એ હેતુ અસિદ્ધ થઈ જશે. અસિદ્ધ હેતુ એ તે હેત્વાભાસ કહેવાય છે. એથી તો સાધ્યસિદ્ધિ થાય નહિ. વળી, હિમાલયનું પરિમાણ કેટલું છે તે કઈ પણ પ્રમાણથી સિદ્ધ કરી શકતા નથી, તેમ જ પિશાચાદિ વિશે પણ આપણું કાઈપણ પ્રમાણ પ્રવૃત્ત થતું નથી, છતાં હિમાલયના પરિમાણનો અને પિશાચનો અભાવ સિદ્ધ થતો નથી. તે જ પ્રમાણે આત્મામાં પ્રત્યક્ષાદિ કઈ પ્રમાણની પ્રવૃત્તિ ન હોય છતાં તેને અભાવ સિદ્ધ થઈ શકો નથી. એટલે તારો હેતુ વ્યભિચારી પણ છે. વળી આગળ આત્માનું સાધક અનુમાન આપવામાં આવશે તેથી તે આત્માનું અસ્તિત્વ સિદ્ધ જ છે તે તારો એ હેતુ વિપક્ષવૃત્તિ હોવાથી વિરુદ્ધ પણ છે. આથી તારે આત્માના વિષયમાં સંદેહ ન કર જોઈએ, પણ તેને પ્રત્યક્ષથી નિશ્ચય જ કરવો જોઈએ. (૧૫૫૭) ઇન્દ્રભૂતિ–આત્મા પ્રત્યક્ષ છે આ વાતને અનુમાનથી સિદ્ધ કરો. ભગવાન–આત્મા પ્રત્યક્ષ છે, કારણ કે તેના સ્મરણાદિ વિજ્ઞાનરૂપ ગુણો સ્વસંવેદનથી પ્રત્યક્ષ છે. જે ગુણીના ગુણે પ્રત્યક્ષ હોય છે, જેમ ઘટ. જીવના ગુણાના પ્રત્યક્ષથી ગુણો પણ પ્રત્યક્ષ છે, એટલે જીવ પણ પ્રત્યક્ષ છે. ઘટાદિનું પ્રત્યક્ષ આત્માનું પ્રત્યક્ષ પણ તેના રૂપાદિ ગુણોની પ્રત્યક્ષતાને લીધે જ છે. તે જ પ્રમાણે જીવનું પ્રત્યક્ષ પણ તેના સ્મરણાદિ ગુણોની પ્રત્યક્ષતાને કારણે માનવું જ જોઈએ. - ઇન્દ્રભૂતિ–ગુણોની પ્રત્યક્ષતાને કારણે ગુણીની પ્રત્યક્ષતા માનવા નિયમ વ્યભિચારી છે, કારણ કે આકાશને ગુણ શબ્દ પ્રત્યક્ષ છે, છતાં આકાશ પ્રત્યક્ષ થતું નથી. ભગવાન–ઉક્ત નિયમ વ્યભિચારી નથી, કારણ કે શબ્દ એ આકાશને ગુણ નથી પણ એ પીગલિક છે, અર્થાત્ શબ્દ એ પુદ્દગલ દ્રવ્યનું એક પરિણામ છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy