SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ ગણધર ઇન્દ્રભૂતિ જીવના અસ્તિત્વ વિશે ચર્ચા ભગવાન મહાવીર રાગદ્વેષના ક્ષય કરીને સજ્ઞ થયા પછી વૈશાખ શુદ એકાદશીને રાજ મહુસેન વનમાં વિરાજમાન હતા. લેાકેાનાં ટાળાંઆને તેમની પાસે જતાં જોઈને યજ્ઞવાટિકામાં એકત્ર થયેલા વિદ્વાન બ્રાહ્મણાને પણ જિજ્ઞાસા થઈ કે એવા તે કાણુ મહાપુરુષ આવ્યા છે કે આ બધા લેાકેા તેમની પાસે જાય છે. આથી તેઓમાંના સૌથી શ્રેષ્ઠ વિદ્વાન ઇન્દ્રભૂતિ ગૌતમ સ પ્રથમ ભગવાન મહાવીર પાસે જવા તૈયાર થયા. તેઓ જયારે પેાતાના શિષ્ય પરિવાર સહિત ભગવાન સમક્ષ ઉપસ્થિત થયા ત્યારે તેમને જોઈ તે ભગવાન મેાલ્યા— આયુષ્મન ઇન્દ્રભૂતિ ગૌતમ ! તને જીવના અસ્તિત્વ વિશે સંદેહ છે; કારણ કે તુ' વિચારે છે કે જીવની સિદ્ધિ કોઈપણ પ્રમાણુથી થઈ શકતી નથી, છતાં સંસારમાં ઘણા લેાકેા જીવનુ' અસ્તિત્વ તા માને છે; એટલે સંશયનું કથન તને સંદેહ છે કે જીવ છે કે નહિ ! ઇન્દ્રભૂતિન જીવની સિદ્ધિ કાઈ પણ પ્રમાણુથી થઈ શકતી નથી એ વિશે તારા મનમાં તું આ પ્રમાણે વિચારે છે— જીવ પ્રત્યક્ષ નથી “જીવનું અસ્તિત્વ જો હાય તે તે પણ ઘટાદિ પદાર્થીની જેમ પ્રત્યક્ષ થવા જોઈ એ, પણ તે પ્રત્યક્ષ તા થતા નથી, અને જે પદાર્થ સથા અપ્રત્યક્ષ હોય છે તેને આકાશના ફૂલની જેમ સંસારમાં સર્વથા અભાવ હાય છે. જીવ પણ સવ થા અપ્રત્યક્ષ છે; માટે તેના પણ સંસારમાં સવ થા અભાવ છે. “જો કે પરમાણુ પણ નરી આંખે દેખાતા નથી છતાં તેને અભાવ માની શકાય નહિ, કારણ કે તે જીવની જેમ સ`થા અપ્રત્યક્ષ નથી. કા રૂપે પરિણત થયેલ પરમાણુનુ' પ્રત્યક્ષ તા થાય જ છે, પણ જીવતુ' તા કોઈ પણ પ્રકારે પ્રત્યક્ષ થતું જ નથી; માટે તેના ાસથા અભાવ જ માનવા જોઈ એ. (૧૫૪૯) કોઈ એમ કહે કે જીવ ભલેને પ્રત્યક્ષથી ગૃહીત ન હોય પણ અનુમાનથી તે તે જાણી શકાય છે, માટે તેનું અસ્તિત્વ માનવુ જોઇ એ. આમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy