SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૯ વેદનાનાં આઠ કારણ ગણાવ્યાં છે. વાત, પિત્ત, કફ, એ ત્રણેને સંનિપાત, ઋતુ, વિષમાહારે, આપક્રમિક, અને કમ-એ આઠ કારણોમાંથી કઈ પણ એક કારણે જીવને વેદનાને અનુભવ થાય છે. આચાર્ય નાગસેને જણાવ્યું છે કે વેદનાનાં આ આઠ કારણો છતાં જે લેકે એમ માને છે કે જીની બધી વેદના કર્મને કારણ થાય છે તે મિશ્યા છે. ખરી રીતે જીવોને જે વેદના છે, તેમાંને બહુ જ ઘેડે ભાગ પૂર્વકૃત કર્મનું ફળ છે; ઘણો ભાગ તે બીજાં જ કારણેાએ ઉત્પન થયેલ છે. કઈ વિદના કયા કારણે છે તેને અંતિમ નિર્ણય તો બુદ્ધ જ કરી શકે છે. આ જ પ્રમાણે જૈનદષ્ટિએ પણ કર્મને કાયદે આધ્યાત્મિક સૃષ્ટિમાં લાગુ પડે છે. ભૌતિક સૃષ્ટિમાં તે એ કાયદો કાર્ય કરતા નથી, જઠસૃષ્ટિનું નિર્માણ તેના પોતાના કાયદા પ્રમાણે થાય છે. કર્મને કાયદો તો જીવસૃષ્ટિમાં જે વિવિધ્ય છે તેમાં જ કારણ છે. જે વિવિધ રૂપો મનુષ્ય-દેવ-નાક-તિય ચાદિ રૂપે છે, છાનાં શરીરમાં જે વૈવિધ્ય છે તેમાં, અને સુખ-દુઃખ-જ્ઞાન-અજ્ઞાન-ચારિત્ર-અચારિત્ર એ જીવ સંબંધી ભાવમાં કર્મના કાયદો લાગુ પડે છે, પણ ભૂકંપ જેવાં ભૌતિક કાર્યોમાં કર્મના કાયદાને કશી જ લેવા દેવા નથી. આ વસ્તુ જેનશાસ્ત્રોમાં કમની મૂળ અને ઉત્તર પ્રકૃતિએ જે ગણાવી છે તે પ્રત્યેકના વિપાકને જ્યારે વિચાર કરવામાં આવે છે ત્યારે સ્વતઃ સિદ્ધ થઈ જાય છે. કર્મબંધ અને કમલિની પ્રક્રિયા આત્મામાં કર્મબંધ કેવી રીતે થાય છે અને બંધાયેલા કર્મની ફલક્રિયા શી છે એનું સુવ્યવસ્થિત વર્ણન જૈનશાસ્ત્રમાં મળે છે. વૈદિક પરંપરાના ગ્રન્થમાં ઉપનિષદ સુધીના શાસ્ત્રમાં એ વિશે કશી જ માહિતી નથી. એગદર્શનભાષ્યમાં વિશેષરૂપે અને અન્ય દાર્શનિક ટીકાગ્રન્થમાં નહિ જેવી સામગ્રી આ બાબતમાં પ્રાપ્ત થાય છે. એટલે એ પ્રક્રિયાનું વર્ણન અહીં જેનગ્રન્થને આધારે જ કરવું પ્રાપ્ત થાય છે. તલનાગ્ય જે બાબત છે તેને નિર્દેશ તે તે સ્થાને કરવામાં આવશે જ. લેકમાં એવી કઈ જગ્યા નથી જ્યાં કર્મયોગ્ય પુદ્ગલ પરમાણુનું અસ્તિત્વ ન હોય. એટલે સંસારી જીવ પોતાની મન-વચન-કાયાની જરા પણ પ્રવૃત્તિ કરે છે ત્યારે કર્મયોગ પુદ્ગલના પરમાણુ સ્કે ધેનું ગ્રહણ બધી દિશામાંથી થાય છે. પરંતુ ક્ષેત્રમયોદા એ છે કે જેટલા પ્રદેશમાં આત્મા હોય તેટલા પ્રદેશમાં રહેલા પરમાણુરકંધાનું જ ગ્રહણ થાય છે, અન્યનું નહિ. વળી પ્રવૃત્તિની તરતમતાના આધારે પરમાણુની સંખ્યાની તરતમતા છે. પ્રવૃત્તિની માત્રા અધિક હોય તે પરમાણુ અધિક અને ન્યૂન હોય તો ન્યૂન સંખ્યામાં પરમાણુનું ગ્રહણ થાય છે. આને પ્રદેશબંધ કહેવાય છે. ગૃહીત પરમાણુ જુદી જુદી જે જ્ઞાનાવરણાદિ પ્રકૃતિરૂપે પરિણમે છે તે પ્રકૃતિબંધ કહેવાય છે. અર્થાત આ પ્રકારે જીવના વેગને કારણે પરમાણુકંધની માત્રા અને પ્રકૃતિ નક્કી થાય છે. એને જ ક્રમશઃ પ્રદેશબંધ અને પ્રકૃતિબંધ કહેવાય છે. આમ તત્વતઃ અમૂર્ત છતાં અનાદિ કાળથી પરમાણુપુદ્ગલના સંપર્કમાં છે તેથી તે કથંચિત મૂર્ત કહેવાય છે. આત્મા અને કમને સંબંધ દૂધ-પાણી જે અથવા તો લોઢાને પિંડ અને અગ્નિ જે વર્ણવવામાં આવે છે. એટલે કે અન્યના પ્રદેશમાં પ્રવેશ કરીને આત્મા અને પુગલ અવસ્થિત રહે છે. સંસારાવસ્થામાં પુરુષ અને પ્રકૃતિને પણ બંધ ક્ષીર-નીર જેવો એકીભૂત છદ્રા ૧. મિલિન્ક પ્રશ્ન, ૪. ૧, ૬૨, પૃ૦ ૧૩૭ ૨. આના વિશેષ સ્પષ્ટીકરણ માટે જ કર્મગ્રન્થના હિન્દી અનુવાદની ૫. ફૂલચંદજીની પ્રસ્તાવના, પૃ. ૪૩, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy