SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ દ્વારા થાય છે. અથવા તા એમ કહેવુ જોઈએ કે સંસારી આત્માની માનસિક, વાચિક અને કાયિક પ્રવૃત્તિ, જે યાગને નામે ઓળખાય છે તેમાં કષાયના અથવા તા રાગ-દ્વેષ અને મેાહુના રંગ ચડેલે હોય છે. આમ ખરી રીતે પ્રવૃત્તિ એક જ છતાં જેમ કપડુ અને તેના રંગ એને જુદાં પણ કહેવાય છે, તેમ આત્માની એ પ્રવૃત્તિનાં બે નામ આપવામાં આવે છે: યાગ અને કષાય, રંગવિનાનું કારુ કપડુ જેમ એકરૂપ છે તેમ કષાયના રંગ વિનાની મન, વચન-કાયાની પ્રવૃત્તિ એકરૂપ છે. પણ કપડામાં જો રંગ હોય તેા રંગમાં હલકા અને ઘેરે એવા ભેદા પડે, તેમ ગયાપાર સાથે કષાયને ો રંગ હોય તે ભાવક માં પણ તીવ્રતા અને મ ંદતા આવે છે; રંગ વિનાનું કપડું જેમ નાનું મેઢુ હાઈ શકે છે તેમ કષાયના રંગ વિનાના યોગવ્યાપાર ન્યૂનાધિક હાઈ શકે છે, પણ તેમાં રંગને કારણે જે ચમકની તીવ્રતા અને મંદતા હોય છે તેને તેા અભાવજ હોય છે. આમ હાવાથી યાગવ્યાપાર કરતાં તેને રંગનાર કષાયનું જ વધારે મહત્ત્વ હાવાથી કષાયને જ ભાવકમાં કહેવામાં આવે છે, અને દ્રવ્યકમ ના ખંધમાં યેાગ અને કષાય૧ એ બન્નેને સાધારણ રીતે નિમિત્ત કહેવામાં આવે છે છતાં કષાયને જ ભાવકમ કહેવાનુ કારણ પણ એ જ છે. સારાંશ એ છે કે ક્રોધ, માન, માયા, લેાભ એ ચાર કષાય અથવા રાગ, દ્વેષ, મેાહુ એ દાષાને ભાવકમ કહેવામાં આવે છે,ર કારણ કે તેથી છવા દ્રવ્યકમ નુ ગ્રહણ કરીને બદ્ધ થાય છે. આ જ વસ્તુને ખીજે નામે અન્ય દાર્શનિકાએ પણુ સ્વીકારી છે. રાગ, દ્વેષ અને મેહ એ ત્રણ દોષ તૈયાયિકાએ સ્વીકાર્યા છે. એ ત્રણ દેથી પ્રેરિત થઈને જીવની મન-વચનકાયની પ્રવૃત્તિ થાય છે; અને એ પ્રવૃત્તિથી ધર્મ અને અધર્મની ઉત્પત્તિ થાય છે. ધર્મ અને અધમ ને નૈયાયિકાએ “સંસ્કાર’’ એવુ નામ આપ્યું છે.૩ પ્રસ્તુતમાં જે રાગ-દ્વેષ-મેહ એ ત્રણ દોષો નાયિકાએ ગણાવ્યા છે તે જ દોષ જૈનસ મત પણ છે અને તેને જૈના ભાવક” એવું નામ આપે છે. નૈયાયિક્રા જેને દાયજ ન્ય પ્રવૃત્તિ કહે છે તેને જ જૈનાએ ધ્યેાગ” એવુ નામ આપ્યું છે અને નયાયિકાએ પ્રવૃત્તિજન્ય ધર્માવને “સંસ્કાર'' અથવા તા અદૃષ્ટ” એવું જે નામ આપ્યું છે તેને સ્થાને જ જૈનસ મત પૌલિક કર્મી અથવા તા દ્રવ્પક છે. ધર્મ-અધ રૂપ સંસ્કાર એ નૈયાયિક મતે આત્માના ગુણુ છે. પણ યાદ રાખવું જોઈએ કે નૈયાયિક મતે ગુણુ અને ગુણીના ભેદ હવાથી માત્ર આત્મા જ ચેતન છે, પણ તેના ગુણુ સ ંસ્કાર એ ચેતન કહેવાય નહિ, કારણ કે સ ંસ્કારમાં ચૈતન્યના સમવાય - સ ંબંધ નથી, અને એ જ રીતે જૈનસંમત દ્રવ્યકમ પણ અચેતન જ છે. આ રીતે સંસ્કાર કહેા કે દ્રવ્યકમ બન્ને અચેતન છે. નૈયાયિક અને જૈન મતમાં જે કાંઈ ભેદ છે તે એટલેા જ છે કે સ ંસ્કાર એ ગુણુ છે જ્યારે દ્રવ્યકમ એ પર્ફંગલ દ્રવ્ય છે. પરંતુ જરા ઊંડે વિચાર કરીએ તા આ ભેદ પણ નજીવેા જ ભાસે છે. ભાવકમ થી દ્રવ્યકમ ઉત્પન્ન થાય છે એમ જૈને સ્વીકારે છે, અને નૈયાયિકા પણ સ`સ્કારની ૧. ગોગા વર્ગાદેવä' દ્ઘિનુમાન.. સાયાલા-૫ ધમમ ગ્રન્થ ગા૦ ૯૬. ૨. ઉત્તરાધ્યયન, ૩૨.૭:૩૦.૧, તત્ત્વાર્થં ૮, ૨; ચનાં ૨. ૨. સમયસાર ૯૪ ૯૬, ૧૦૯, ૧૭૭, પ્રવચનસાર ૧, ૮૪, ૮૮; ૩ ન્યાયભાષ્ય ૧, ૧, ૨; ન્યાયત્ર ૪, ૧, ૩-૯ ન્યાયસૂત્ર ૧, ૧, ૧૭; ન્યાયમાંજરી પૃ૦ ૪૭૧, ૪૭૨, ૫૦૦; ઇત્યાદિ- વૅ ૨ क्षणभ गित्वात्स स्कार द्वारिका स्थितः स कर्मजन्यसंस्कारो धर्माधर्म गिरोच्यते " ન્યાયમ જરી પૃ૦ ૪૭૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy