SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ અભિપ્રેત છે. આ પ્રમાણે લગભગ આખા ગણધરવાદમાં કર્મચર્યાએ મોટો ભાગ કર્યો છે, એટલે કર્મ વિશે વિચાર કરો પ્રાપ્ત છે. કર્મવિચારનું મૂળ વેદકાળના ઋષિઓને મનુષ્યોમાં અને બીજા અનેક પ્રકારનાં પશુ, પક્ષી અને કીટપતંગોમાં રહેલું વૈવિધ્ય અનુભવમાં આવ્યું ન હતું એમ તો ન કહેવાય, પણ એ બધા વૈવિધ્યનું કારણ તેમણે અંત. રાત્મામાં શોધવાને બદલે બહારના તાવમાં માનીને જ સંતોષ અનુભવ્યો હતો. કોઈ પણ એક કે અનેક ભૌતિક તત્વ કે પ્રજાપતિ જેવા તત્વને સૃષ્ટિની ઉત્પત્તિનું કારણ કયું હતું, પણ એ સૃષ્ટિમાં વૈવિધ્ય કેમ આવે છે એને ખુલાસે કરવાનો પ્રયત્ન કર્યો ન હતો. જીવસૃષ્ટિના બીજા વર્ગોની વાત જવા દઈએ. કેવળ મનુષ્યસૃષ્ટિમાં જે વૈવિધ્ય શરીરાદિનું હતું, સુખ-દુઃખનું હતું, બૌદ્ધિક શકિત-અશકિતનું હતું. એનું કારણ પણું શોધવા વિશેષ પ્રયત્ન કર્યો હોય એમ જણાતું નથી. એમનું સમસ્ત તત્ત્વજ્ઞાન ક્રમે કરી દેવ અને યજ્ઞને કેન્દ્રમાં રાખીને વિકસ્યું છે. પ્રથમ અનેક દેવો અને પછી પ્રજાપતિ જેવા એક દેવની કલ્પના કરવામાં આવી. મનુષ્ય સુખી થવું હોય તે અને પોતાના શત્રુઓને નાશ કરવો હોય તા તેણે એ દેવ કે દેવોની સ્તુતિ કરવી જોઈએ, પોતાની પ્રિય વસ્તુને સજીવું હોય કે નિર્જીવ-દેવો નિમિત્તે યજ્ઞ કરીને તેમને સમર્પિત કરવી જોઈએ, એથી દેવો સંતુષ્ટ થઈને મનવાંછિત પૂર્ણ કરે છે એવી માન્યતા વૈદથી માંડીને બ્રાહ્મણકાળ સુધીમાં વિકસી છે. અને દેવોને પ્રસન્ન કરવાના સાધન તરીકે યજ્ઞકર્મને ક્રમિક વિકાસ થઇને ઉત્તરોત્તર જટિલ કર્મોના રૂપમાં એ પરણિત થઈ ગયું; તે એટલે સુધી કે સાધારણ મનુષ્યને યજ્ઞ કરવો હોય તે એ યજ્ઞકર્મમાં નિષ્ણાત પુરોહિત વર્ગની મદદ વિના શકય રહ્યું નહિ. આ પ્રમાણે દેવ અને તેને પ્રસન્ન કરવાનું સાધન યજ્ઞકર્મ એ બે વસ્તુની આસપાસ વૈદિક બ્રાહ્મણોનું સમસ્ત તત્વજ્ઞાન વિકસ્યું હતું. બ્રાહ્મણકાળ પછીનાં ગણાતાં ઉપનિષદો એ પણ વેદ-બ્રાહ્મણને અંતિમ ભાગ હોવાથી વૈદિક જ છે અને તેને વેદાંત' કહેવામાં આવે છે. પણ એ વેદાંતમાં વેદપરંપરા-એટલે કે દેવ અને યજ્ઞપરંપરાના અંત નિકટ હોય એમ જણાય છે. વેદ-બ્રાહ્મણમ નહિ એવા નવા-નવા વિચારે એ વેદાંતમાં મળી આવે છે. તેમાં સંસાર અને કર્મ-અદૃષ્ટ વિશે પણ નવા વિચાર મળી આવે છે. આ વિચારો વૈદિક પરંપરાના જ ઉપનિષદોમાં કયાંથી આવ્યા, વૈદિક વિચારોમાંથી જ એ વિચાર વિકાસના પરિણામે ઉદ્દભવ્યા કે અવૈદિક પરંપરાના વિચારક પાસેથી વૈદિકએ લીધા એને નિણર્ય આધુનિક વિદ્વાન કરી શકળ્યા નથી પણ એટલું તો ચોક્કસ છે કે સર્વ પ્રથમ વૈદિક સાહિત્યમાં ઉપનિષદમાં જ એ વિચારોએ આકાર ધારણ કર્યો છે. ઉપનિષદ સાહિત્યમાં સંસાર અને કર્મની ૩૯૫નાનું સ્પષ્ટરૂપ નથી દેખાતું એ વિશે તે આધુનિક વિદ્વાનોમાં વિવાદ નથી. વળી કર્મ-કારણને વાદ પણ ઉપનિષદોમાં સર્વસંમત વાદ થઈ ગયો છે એમ પણ નથી, એટલે એ વાદને વૈદિક વિચારધારાને મૌલિક વિચાર માની શકાય નહિ, એમ લાગે છે. કવેતાશ્વતર ઉપનિષદમાં જ્યાં અનેક કારણે ગણાવ્યાં છે ત્યાં કાલ, સ્વભાવ, નિયતિ, યદરછી, ભૂત કે પુરુષ, અથવા એ બધાંને સ યગ-એ ગડ્યિાં છે. એ કાલાદિને કારણે માનનાર વૈદિક હોય કે અવૈદિક-ગમે તે હોય પણ તેમાં ય કર્મનો સમાવેશ નથી. ૧. હિરિયના-આઉટલાઈન્સ ઓફ ઈન્ડિયન ફિલેસેફ, પૃ૦ ૮૦; બેવેકર-હિસ્ટ્રી ઓફ ઈન્ડિયન ફિલેફ, ભણ. ૨. ૫૦ ૮૨, વેતાશ્વતર ૧.૨, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy