SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ આ આક્ષેપના ઉત્તરમાં નાગસેને જણુાળ્યુ છે કે નિર્વાણતું કાઈ નિયત સ્થાન નથી. છતાં તે છે જ. નિર્વાણુ એ બહાર નથી; એનેા તા પેાતાના વિશુદ્ધ મન વડે સાક્ષાત્કાર કરવાના છે. જેમ સળગ્યા પહેલાં અગ્નિ કર્યાં છે એમ કાઈ પૂછે તે તેને અગ્નિનું સ્થાન બતાવી શકાય નહિ, પણ લાકડાં મળે એટલે અગ્નિ પ્રકટે છે, તેમ વિશુદ્ધ મન વડે નિર્વાણુના સાક્ષાત્કાર કરી શકાય છે, પણ તેનું સ્થાન બતાવી શકાતુ નથી. નિર્વાણુનું નિયત સ્થાન નથી એ માન્યું પણ એવું તા કાઈ નિયત સ્થાન હશે ને જ્યાં સ્થિત થઈને પુદ્ગલ તેના સાક્ષાત્કાર કરી શકે ? આ પ્રશ્નના ઉત્તરમાં નાગસેને જણાવ્યું કૈ પુદ્ગલ શીલમાં પ્રતિષ્ઠિત થઈને ગમે તે આકાશપ્રદેશમાં રહ્યા છતાં નિર્વાણના સાક્ષાત્કાર કરી શકે છે, (૩) જીવન્મુતિ-વિદેહમુકિત આત્મામાંથી મેાહુ દૂર થઈ જાય અને તે વીતરાગ અને એટલે તરત જ શરીર છૂટી જાય કે નહિ એ પ્રશ્નના ઉત્તરમાં મુકિતના બે પ્રકારની કલ્પના કરવામાં આવી છે : એક જીવન્મુકિત અને ખીજી વિદેહમુકિત. રાગદ્વેષને અભાવ થયા છતાં આયુકમના વિપાકકાલ પૂરા થયા ન હોય ત્યાં સુધી જીવ શરીરમાં રહે છે અથવા તેા જીવ સાથે શરીર વળગી રહે છે. પણ સંસાર -પુનર્જન્મનુ ં કારણ અવિદ્યા અને રાગદ્વેષ નિવ્રુત્ત થઈ જવાથી નવું શરીર ગ્રહણ કરવાની ચેગ્યતા હવે આત્મામાં નથી રહી, તેથી એવા આત્માનું પ્રાણધારણરૂપ જીવન ચાલુ હોવા છતાં મેહ-રાગ-દ્વેષથી તે મુકત હાવાથી તેવા આત્માને જીવન્મુકત” કહેવામાં આવે છે, અને જ્યારે તેનું શરીર પણ છૂટી જાય છે ત્યારે તેને ‘વિદેહમુકત” કહેવામાં આવે છે અથવા તેને માત્ર મુકત' કહેવામાં આવે છે. ઉપનિષદોમાં જીવ-મુકિત ઉપરાંત ક્રમમુકિતના સિદ્ધાન્ત પણ પ્રતિપાદિત થયેલે છે એવું વિદ્વાનાનુ માનવું છે અને તેના દૃષ્ટાંત તરીકે કઠોપનિષદર ટાંકવામાં આવે છે. તેમાં જણાવ્યું છે કે ઉત્તરાત્તર ચડિયાતા લેાકમાં આત્મ પ્રત્યક્ષ ક્રમે કરી વિશદ-વિશદતર થતુ જાય છે, આ ઉપરથી જણાય છે કે એ ઉપનિષદમાં ક્રમમુકિત છે- એટલે કે આત્મસાક્ષાત્કાર ક્રમિક છે. આની સાથે ખીજાં નામાં માન્ય એવા આત્મવિકાસને! જે ક્રમ છે તેને સરખાવી શકાય. જૈને તેને ગુણસ્થાનક્રમારાદ્ધ કહે છે. બૌદ્ધો તેને ચેાગચર્મોની ભૂમિએ કહે છે, અને વૈશ્વિક દનમાં એ જ વસ્તુને “ભૂમિકા’” એવું નામ આપવામાં આવ્યું છે. જીવન્મુકિતના સિદ્ધાન્ત પશુ ઉપનિષદેશમાં મળે છે. એ જ કાપનિષદમાં આગળ જઈને જણાવ્યું છે કે જ્યારે મનુષ્યના હૃદયમાં રહેલી બધી કામનાઓ દૂર થઈ જાય છે ત્યારે તે અમર બને છે અને અહી' જ બ્રહ્મને મેળવે છે; જ્યારે અહીં બધી હૃદયની ગાંઠે તૂટી જાય છે ત્યારે મનુષ્ય અમર બને છે.૩ ઉપનિષદના વ્યાખ્યાતાએમાં જીન્મુકિતની બાબતમાં અકય નથી, આચાય શંકર, વિજ્ઞાનભિક્ષુ અને વલ્લભ જીવન્મુકિતને સ્વીકારે છે, પણુ ખીન્ન ભકિતમાČના અનુયાયી વેદાન્તીએ-રામાનુજ, નિમ્બાર્ક અને મધ્વ જીવન્મુકિત સ્વીકારતા નથી,૪ ૧. મિલિન્દપ્રશ્ન ૪, ૮. ૯૨-૯૪ ૨ ૩૪.૨. ૩. ૫ ૩. ૨. ૬, બૃહદા૦ ૪.૪, ૬-૭ ૪ જુએ પ્રા. ભટ્ટની ઉક્ત પ્રસ્તાવના. Jain Education International ૩ કઠે ૨. ૩. ૧૪-૧૫; મુડક For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy