SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવકની દિનચર્યા અને પર્વક ૧૭૩ લાખ કેડ, અને અડ્રમથી ૧૦ લાખ કેડ વરસની નરકવેદનાનાં પાપ નષ્ટ થાય છે. પચ્ચક્ખાણ ધાર્યા પછી જિનમંદિરે જઈ પરમાત્માનાં દર્શન, પ્રણામ અને સ્તુતિ કરવી. પ્રભુદર્શન કરતાં આપણને ઉચ્ચ મનુષ્ય ભવ, ધર્મ-સામગ્રી તથા આવા પ્રભુની પ્રાપ્તિ વગેરે પુણ્યાઈ મળ્યામાં પ્રભુને જ મહાન ઉપકાર છે,” એ યાદ કરી ગદ્દગદ થવું. ચિંતામણિથી ય અધિક દર્શન પ્રભુએ આપ્યું અને એ અતિવર્ષ થાય અને પ્રભુના અનુપમ ઉપકાર ઉપર કૃતજ્ઞભાવ યાદ કરાય કે રોમાંચ ખડા થાય ! આંખ અશ્રુભીની થાય. પછી ધૂપ, દીપ, વાસક્ષેપ વગેરે પૂજા તથા ચૈત્યવંદન–સ્તવના કરી પફખાણ ઉચરવું. પછી ઉપાશ્રયે ગુરુ પાસે આવી વંદના કરી સુખશાતા પૂછવી અને એમની પાસેથી પચ્ચકખાણ લેવું. એમને ભાત-પાણી, વસ્ત્ર, પાત્ર, પુસ્તક, ઔષધને લાભ આપવા વિનંતિ કરવી પછી ઘરે આવી જે નવકારશી પચ્ચખાણ હોય તે જયણપૂર્વક તે કાર્ય પતાવી, ગુરુમહારાજ પાસે આવી આત્મહિતકર અમૂલ્ય જિનવાણી સાંભળવી. કંઈક ને કંઈક વ્રત, નિયમ, અભિગ્રહ કરે, જેથી સાંભળેલું લેખે લાગે અને જીવન આગળ વધાય. મધ્યાહ્ન ને બપોરે - ત્યારબાદ જીવજંતુ ન મરે એ કાળજી રાખી પરિમિત જળથી સ્નાન કરી પરમાત્માની અષ્ટપ્રકારી પૂજા કરવી. પૂજામાં પિતાની શક્તિને પવ્યા વિના પિતાના ઘરના દૂધ, ચંદન, કેસર, પુષ્પ, વરખ, અગરબત્તી, ધૂપ, દીપક, અક્ષત, ફળ, નીવેદ્ય વગેરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy