SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ 67 કારણપદ પણ વાપરે છે. શ્રીકંઠાચાનું કહેવું છે કે ઉપનિષદોમાં જે અનેક વિરાધા હતા, તેનું નિરાકરણ કરી ઉપનિષદના સાચા મને દર્શાવી શકે એવા આગમા શ્વેત નામના શૈવાચાર્યે રચ્યા હતા. શ્વેત પછી બીજા પણ સત્યાવીશ શૈવાચાર્ય થયા છે. એ આગમેાને અનુસરી શ્રીકંઠ ભાષ્ય રચવાના દાવા કરે છે અને અંતે અનેક ઉપનિષદ વાકડ્યો તેમ જ પુરાણ, સ્મૃતિને આધારે સ્થાપે છે કે મહેશ્વર એ જ પરબ્રહ્મ છે. શિવ, શ, ભવ, મહેશ્વર, ઇશાન આદિ અનેક નામાથી એ જ બ્રહ્મ વ્યપદેશાય છે. શ્રીકહાચાર્યે બ્રહ્માને શિવરૂપે ઇશ્વરપદનું અને તે પણ ઉપાદાન-નિમિત્તરૂપે સ્થાન આપી નકુલીશ, પાશુપત અને ન્યાય-વૈશેષિક આદિ મહેશ્વર-નિમિત્તકારણવાઢીથી પેાતાના દૃષ્ટિભેદ સિદ્ધ કર્યાં છે. જો કે તે બ્રહ્મસૂત્રનુ' ભાષ્ય રચે છે, પણુ તે અનેક શૈવાગમાના આધાર લેતા હોય એમ પણ લાગે છે. એ શૈવાગમાં મૂળે ઉપનિષદને આધારે રચાયા કે કેાઈ દ્રાવિડ ભાષામાં વમાન ગ્રંથાને આધારે રચાયા હતા તે બાબત સ્પષ્ટતા નથી થતી. પણ એમ લાગે છે કે તેમની સામે ઉપનિષદના વિચારનું પ્રતિબિંખ પાડે એવા કેાઈ શૈવાગમા હતા જ, શ્રીકંઠને પણ એક પ્રશ્નના જવાબ આપવા જ પડચો છે. બ્રહ્મસૂત્રના બીજા અધ્યાયના બીજા પાદમાં ‘ચુરમામન્ત્રસ્યાત્ ’થી શરૂ થતા અધિકરણમાં શંકરાચાર્યે ચાર પ્રકારના માહેશ્વરાના મતને નિરાસ એ દૃષ્ટિએ કર્યો છે કે તે માહેશ્વરા મહેશ્વરને જગતનું ઉપાદાન ન માનતા માત્ર નિમિત્તકારણ માને છે, તે તે બ્રહ્મવાદ નથી. જ્યારે શ્રીકને એ જ સૂત્રાની વ્યાખ્યા કરવાના પ્રસંગ પ્રાપ્ત થયા, ત્યારે તે પેાતે તે શૈવાચાય હેાઈ, શિવ-બ્રહ્મપરક ભાષ્ય કરવા પ્રવૃત્ત થયા હતા. અને ઉક્ત સૂત્રસંદર્ભોમાં શૈવ મતના નિરાસ શંકરાચાય આદિ અનેક આચાર્યાએ કર્યા હતા. આ સ્થળે શ્રીકંઠે શું કરવું ?-એ શ્રીક' માટે પ્રશ્ન હતા. તે શૈવ હાઈ ઉક્ત સૂત્રસંદર્ભ'ને, શંકરાચાય આદિની પેઠે, માહેશ્વરમનિરાસપરક તે વર્ણવી શકે નહિ. તેથી એણે પણ પેાતાનેા રાહ જુદી રીતે લીધો. શ્રીકંઠે કહ્યું કે એ સૂત્રસદ જે માહેશ્વર મતને નિરાસ કરે છે તે એકદેશીય શૈવાના મત છે. કેટલાક શૈવા એવા પણ હતા, જે શ્રીકંઠના કથન પ્રમાણે મહેશ્વરને માત્ર નિમિત્તકારણુ માનતા. તેથી શ્રીક' પણ શકરાચાય આદિ આચાર્યને અનુસરી એ સૂત્રસંદર્ભીથી એકદેશીય મતનું નિરાકરણ કરે છે અને ઔપનિષદ તેમ જ સર્વાંસ`મત શૈવાગમને અનુસરી શિવનુ` ઉપાદાન-નિમિત્તકારત્વ સ્થાપે છે.૧ આપણે પહેલાં જોઈ ગયા છીએ કે ન્યાય-વૈશેષિક પર‘પરામાં ઈશ્ર્વરકતૃત્વની ૧. જુએ, શ્રીકંઠભાષ્ય, ૧. ૧. ૨; તથા દાસગુપ્તાનું ઉક્ત પુસ્તક, ભા. ૫, પૃ. ૭૯. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005235
Book TitleBharatiya Tattvavidya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1971
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy