SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ જ્યારે બ્રહ્મસૂત્ર ઉપર લખે છે ત્યારે એ સ્પષ્ટ દીસે છે કે તેણે યાગભાષ્ય ઉપર વાર્તિક લખતી વખતે ઈશ્વરસ્વરૂપ માટે જે યુક્તિ વાપરેલી તેને જ બ્રહ્મના પ્રતિપાદનમાં તે લે છે. એટલે એમ કહી શકાય કે વિજ્ઞાનભિક્ષુ એ શ`કરની પેઠે સાંખ્ય અને સાંખ્ય યોગ પર’પરાને અવૈદિક નથી માનતા. તે તે એટલે સુધી કહે છે કે સાંખ્યસંમત પ્રકૃતિ એ વૈદિક છે. તે તેના આધારે પણ ટાંકે છે, અને કહે છે કે અલબત્ત, પ્રકૃતિ એ બ્રહ્મને અ’શ છે એટલું જ. વળી બ્રહ્મને ઈશ્વરકાય કરવું હોય ત્યારે જે અનાદિશુદ્ધ તત્ત્વના આશ્રય લેવા પડે છે તે માયાની પેઠે અત્ યા અપારમાર્થિક નથી. બ્રહ્મસૂત્રની વ્યાખ્યા કરતાં સાંખ્યમતને નિષેધ કરવાના પ્રસંગ આવે છે, ત્યારે તે મુખ્યપણે એટલું જ કહે છે કે પ્રકૃતિરૂપ મૂળ કારણ એ માત્ર અનુમાનથી સિદ્ધ ન થઈ શકે. એ સૃષ્ટિને પ્રાણિક સાપેક્ષ માને છે. વલ્લભાચાર્ય પણ બ્રહ્મને ઇશ્વરરૂપ સ્થાપવા પોતાના ભાષ્યમાં પ્રયત્ન કર્યાં છે. દેખીતી રીતે એ પ્રયત્ન બીજા આચાર્યોથી ભિન્ન ભાસે છે, પણ વસ્તુતઃ એમની પ્રક્રિયા મૂળમાં રામાનુજ આદિથી જુદી નથી. વલ્લભાચાય શુદ્ધાદ્વૈતવાદી હાઈ બ્રહ્મને વિશ્વસ્વરૂપ અને વિશ્વને બ્રહ્મસ્વરૂપ કહે અને વિશ્વનું પારમાર્થિકત્વ સ્થાપે એટલું જ. એમણે વળી બ્રહ્મરૂપ ઈશ્વરને જગતનું કારણ કહેતી વખતે બીજા પૂવર્તી આચાર્યા કરતાં પરિભાષા જુદી વાપરી છે. તે કહે છે કે ઈશ્વરબ્રહ્મ એ વિશ્વનું ઉપાદાન કારણ નહિ પણ સમવાયિકારણ છે, અને એમણે સમવાયિકારણની વ્યાખ્યા પણ કાંઈક અંશે ન્યાય વૈશેષિકની વ્યાખ્યા કરતાં જુદી કરી છે. બ્રહ્મને જ મુખ્યપણે આગમપ્રમાણથી એ સ્થાપે છે, અને સૃષ્ટિને પણ પ્રાણિક સાપેક્ષ સ્વીકારે છે, છતાં ઈશ્વરની ઇચ્છા યા લીલાનું પૂર્ણ સ્વાતંત્ર્ય સાચવે છે. વલ્લભાચાર્યે એક પ્રશ્ન એ ઉડાવ્યેા છે કે જો ઈશ્વરતત્ત્વ સત્, ચિત્ અને આનંદરૂપ હોય તે એના કાય યા પરિણામરૂપ વિશ્વમાં પણ તે સમવાયિકારણરૂપ ઈશ્વરના ત્રણ અંશે અનુભવાવા જોઈએ; જ્યારે અચિત્ યા ચિલ્જગતમાં સમાનપણે તેા માત્ર અસ્તિત્વઅશ જ અનુભવાય છે, અને જીવજગતમાં ચૈતન્ય અનુભવાય છે, અને તે પણ તારતમ્યથી અનુભવાય છે. જો ઈશ્વર-બ્રહ્મ અને વિશ્વને અભેદ હાય, અથવા કહો કે વિશ્વ સમવાયિકારણનું કાર્ય હોય, તે એ કા માં સમવાયિકારણના અધા ગુણેા સમાનપણે આવવા જ જોઈએ; પણ તે સમાનપણે અનુભવાતા નથી. આમ કેમ ? આને ઉત્તર એમણે બ્રહ્મસૂત્ર ૧.૧.૩ ના ભાષ્યમાં સંક્ષેપમાં પણ બુદ્ધિગ્રાહ્ય રીતે આપ્યા છે. અને એ સંક્ષેપના વિસ્તાર ભાષ્યના ટીકાકાર ૧. જુઓ, દાસગુપ્તા—ઉકત પુસ્તક, ભા. ૩, પૃ. ૪૪૫-૪૯૫; તથા વિજ્ઞાનામૃતભાષ્ય ૧. ૧. ૨, ૧. ૧. ૪, ૨. ૧. ૩૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005235
Book TitleBharatiya Tattvavidya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1971
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy