SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૫ ઈશ્વરતત્ત્વ આપણે જીવતત્વ વિષે કાંઈક વિચારી ગયા. તત્ત્વજ્ઞાનમાં અચેતન, ચેતનજીવ અને ઈશ્વર આદિ અનેક તેની ચર્ચા છે, પણ એક રીતે એ બધી ચર્ચાનું મધ્યબિન્દુ ચેતન યા જીવતત્વ છે. દરેક તત્ત્વ સ્વરૂપમાં અસ્તિ હોય તેય તેનું જ્ઞાન, તેની વિચારણા, તેને ઉપયોગ અને ઉપગ એ બધું જીવને લીધે છે. ખરી રીતે તત્ત્વમાત્રનું મૂલ્યાંકન એ જીવની ચેતનાને આભારી છે. ચેતના, જ્ઞાનશક્તિ અને જીવનવ્યાપાર એ જીવ યા આત્મતત્વની કમિક અથવા વિકસિત અવસ્થાઓ છે. તેથી ચેતન એ માત્ર અચેતન વસ્તુઓને વિચાર તેમજ ઉપગ અને ઉપભેગા કરીને સંતુષ્ટ રહી નથી શકતું. તેનામાં એવી ગૂઢ શક્તિ છે, જે તેને પિતાથી વધારે શ્રેષ્ઠ, વધારે શિવ એવા તત્ત્વ પ્રત્યે આકર્ષે છે. આ આકર્ષણમાંથી જ ઈશ્વરતવને વિચાર અસ્તિત્વમાં આવ્યા છે અને દાર્શનિકે, સૂમ ચિન્તકે તેમજ આધ્યાત્મિક સાધકેએ તેને વિકસાવે પણ છે અને જીવનમાં પચા પણ છે. પ્રાસ્તાવિક કુતૂહલ યા આશ્ચર્યમૂલક સૃષ્ટિના કારણની જિજ્ઞાસા, ભય અને ત્રાસમાંથી વાણ પામવાની તેમજ સ્થાયી સુખ મેળવવાની અભિલાષા, મહતું આલેખન પ્રત્યે આકર્ષાવાની સહજ વૃત્તિ, અને તેને અવલંબી આધ્યાત્િમક પ્રગતિ કરવાની ભાવના, મહતું અને અગમ્યને સર્વાર્પણ કરવાની ઝંખના અને તેની સાથે સામ્ય કે અભેદ સાધવાની વૃત્તિ–આ અને આના જેવાં અનેક બળ ચેતન કે જીવમાં ક્રમે કમે યા એકસાથે ઉદયમાન થાય છે અને તેને લીધે ઈશ્વરની માન્યતા અનેક સ્વરૂપે અસ્તિત્વમાં આવે છે. માનવજાતિમાં કઈ એવે વગ નથી કે જે એક યા બીજે રૂપે, એક યા બીજે નામે, પિતાથી શ્રેષ્ઠ એવા તત્ત્વને સ્વીકાર કર્યા વિના આશ્વાસન મેળવી શકતે હોય. અહીં તે ઈશ્વરવિષયક માન્યતાને વિચાર, મુખ્યપણે દાર્શનિક પરંપરાઓને અવલંબી, કરવાને હેઈ તેની એક મર્યાદા છે. પહેલાં દર્શાવવામાં આવ્યું છે કે કેટલાક દાર્શનિકે અચેતનબહત્વવાદી તે બીજા અચેતન એકવવાદી છે; એ જ રીતે કેટલાક ચેતનબહુત્વવાદી તે બીજા એક ચેતનવાદી પણ છે. આમાંથી જેઓ અચેતન–અજીવ અને ચેતન-જીવનું બહુત્વ સ્વીકારે છે તેમણે તે ઈશ્વરને અચેતન અને ચેતનથી ભિન્ન એવા એક અનાદિ-અનંત સ્વતંત્ર તત્ત્વ તરીકે જ સ્વીકારેલ છે, એમાં જે અપવાદ છે તે જૈન, બૌદ્ધ અને સાંખ્યમાં એક વિશિષ્ટ પ્રકારના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005235
Book TitleBharatiya Tattvavidya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1971
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy